પંજાબના સંગરુર જિલ્લામાં એક ભયાનક બસ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે અને અન્ય 19 લોકો ઘાયલ થયા છે. ચંદીગઢથી ભટિંડા જતી એક એસી બસે કાબુ ગુમાવ્યો અને એક ટેમ્પોને બચાવવાના પ્રયાસમાં ભવાનીગઢ પાસે પલટી ગઈ.
સંગરુરમાં મુસાફરોથી ભરેલી બસ પલટી
પંજાબના સંગરુરમાંથી મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ચંદીગઢથી ભટિંડા જઈ રહેલી પીઆરટીસીની સરકારી એસી બસ સંગરુર પહોંચતા પહેલા ભવાનીગઢ પાસે ટેમ્પોને બચાવતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠી અને રસ્તાની બાજુના ખાડામાં પલટી ગઈ હતી.
આ બસ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માતની જાણ થતાં જ એસટીએફની ટીમ સહિત રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
2 મુસાફરોના મોત
ગંભીર રીતે ઘાયલ મુસાફરોમાંથી 16 મુસાફરોને રાજીન્દ્રા હોસ્પિટલ, પટિયાલા, જ્યારે ત્રણ મુસાફરોને સિવિલ હોસ્પિટલ, સંગરુરમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે બાકીના મુસાફરોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ બલદાકલાનના રહેવાસી રામ સુભાગના પુત્ર રાજિન્દર કુમાર અને તુંગવાલી જિલ્લા, ભટિંડાના રહેવાસી ગુરપ્રીત કૌર તરીકે થઈ છે.
આ મામલે કરવામાં આવી રહી છે તપાસ
બાકીના ઘાયલોની પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલા ભવાનીગઢ પોલીસ સ્ટેશનના એસએચઓ જસવીર સિંહે જણાવ્યું કે, અકસ્માતમાં ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેના મોત થયા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજંકશન, ગાયકવાડી, સિંધી કોલોની, પરસાણામાં ડિમોલિશન
October 05, 2024 03:51 PMમુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા
October 05, 2024 03:47 PMલેબનોન હુમલાથી ડર્યું યુએઈ: પેજર અને વોકી-ટોકી કરાઈ રહ્યા છે જપ્ત
October 05, 2024 03:45 PMભારત એક મોટી શક્તિ છે વિશ્વમાં કોઈપણ તણાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે: ઈરાન
October 05, 2024 03:42 PMહું તો હથિયારો છોડી ગાંધીવાદી જ બની ગયો છું: યાસીન મલિક
October 05, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech