સ્ટેજ, મંડપ માટે રુા. ૩૦ લાખ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે રુા. પ.પ૦ લાખ: બેનર બનાવવાના રુા. પાંચ લાખ ટેન્ડરમાં જોગવાઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા નાની-મોટી ચીજવસ્તુઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, કેટલાક ટેન્ડરોના કામમાં મલાઇ મળતી હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે, મંડપ, બેનર અને ફોટોગ્રાફીમાં ટેન્ડર ભરનારાઓને જલસા હી જલસા હોવાનું પણ લોકોમાં બોલાઇ રહ્યું છે, ત્યારે પ્રેસ અને મીડીયા વિભાગને ફોટો મોકલો કે ન મોકલો પરંતુ છેલ્લા પાંચ છ વર્ષથી તમામ બિલો પાસ થઇ જતા હોવાની રાવ ઉઠી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પડાતા કેટલાક લેભાગુ તત્વો આ ટેન્ડર મેળવવા એડીચોટીનું જોર લગાવવા પ્રવૃત થઇ ગયા છે, જો કે બે વ્યક્તિઓને આ ટેન્ડર મળે તેવી શક્યતા હોવાનું છડેચોક બોલાઇ રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા કરાતા કેટલાક કામોમાં સ્ટેજ અને મંડપની આવશ્યકતા હોય છે ત્યારે કેટલું સ્ટેજ બાંધવુ, કેટલી ખુરશી બંધાવી, કેટલી સાઇડ બાંધવી આ બધુ કાર્યક્રમ પ્રમાણે નક્કી થતું હોય છે, કેટલીકવાર આ અંગે મસમોટા બીલ પણ મુકવામાં આવતા હોવાનું પણ બહાર આવ્યું છે, આ વખતના ટેન્ડરમાં રુા. ૩૦ લાખની રકમ નક્કી કરાઇ છે, જનરલ બોર્ડમાં પણ એક નગરસેવિકાએ સ્ટેજ, મંડપ અંગેના ટેન્ડર પર શંકા વ્યક્ત કરી હતી, જો કે તેણીને સત્તાધીશો દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો.
પીઆરઓ શાખા દ્વારા કાર્યક્રમના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફીના ઓર્ડર આપવામાં આવતા હોય છે, ટેન્ડર જેઓને મળ્યું હોય તેઓને આ ઓર્ડર અપાઇ છે ત્યારે રુા. પ.પ૦ લાખનું ટેન્ડર આ વખતે બહાર પાડ્યું છે, ભૂતકાળમાં તમામ પ્રેસને ફોટોગ્રાફર્સ અને મેટર રુબરુ પ્રેસ કે જે તે રીપોર્ટરને પહોંચાડવામાં આવતી હતી, જેને લીધે આધુનિક ટેકનોલોજી યુગમાં મેઇલ અને વ્હોસટઅપમાં ફોટોગ્રાફ મોકલાઇ છે, જો ઓડીટ શાખા તપાસ કરે તો પ્રેસનોટના ફોટોગ્રાફર્સના પણ મસમોટા બીલો બન્યા હોવાનું પણ જાણવા મળે છે અને છેલ્લા ચારેક વર્ષના બીલો તપાસવામાં આવે તો કેટલાક ભોપાડા બહાર આવે તેવી શકયતા છે.
આ ઉપરાંત જે તે કાર્યક્રમના બેનર બનાવવા માટે પણ પાંચ લાખ ટેન્ડરમાં દર્શાવવામાં આવ્યા છે, આમ મંડપ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, બેનરના ટેન્ડર મેળવનારને જલસા હી જલસા થશે તેમ લોકો કહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech