ગુજરાતમાં હજુ બે દિવસ તાપમાનનો પારો ઊંચકાશે, ગુરૂવારથી ગરમીના થશે વળતા પાણી

  • March 24, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુધવાર સુધીમાં ગરમીના પ્રમાણમાં હજુ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે પરંતુ ગુરુવારથી મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને લોકોને ગરમીમાં થોડી રાહત મળશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ સુરેન્દ્રનગર કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન રવિવારે 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન દાહોદમાં 43.4 ડિગ્રી નોંધાયું છે. પરંતુ તે સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી થી નીચે રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં 41 રાજકોટમાં 40.5 અને કંડલા એરપોર્ટ પર 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જોકે કંડલા પોર્ટ પર ગઈકાલે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ભુજ નલિયા અને અમરેલીમાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે રહ્યું હતું. મહુવા અને કેશોદમાં 39.4 ડિગ્રી અમદાવાદમાં 39.7 ડીસામાં 39.6 ગાંધીનગરમાં 39.2 વલ્લભ વિદ્યાનગરમાં 39.5 અને વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર દ્વારકા ઓખા પોરબંદર વેરાવળ દીવ સુરત દમણ ભુજ નલિયા માં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહ્યું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે હિમાલયન રીજીયનને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાયુ છે અને તેના કારણે જમ્મુ કશ્મીર સહિત દેશના અમુક ભાગમાં વરસાદની આગાહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application