જામનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે તાપમાન 34.8 ડીગ્રી

  • October 04, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાં ભેજ 9પ ટકા થતાં લોકો ગરમીથી ત્રાહિમામ: આગામી અઠવાડીયા બાદ રાજ્યભરમાંથી ચોમાસુ લેશે વિદાય


જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે-ધીરે તાપમાન વધતું જાય છે, તાપમાનમાં વધારો થયો છે, સૂર્યદેવતાના કારમા પ્રકોપ વચ્ચે તાપમાન 34.8 ડીગ્રીએ પહોંચી જતાં લોકો અસહ્ય ગરમીથી પરેશાન થઇ ગયા હતાં. બપોરના 11 થી 5 દરમ્યાન લુ વરસી હતી. આગામી અઠવાડીયા બાદ ચોમાસની વિદાય જોવા મળશે તેમ હવામાન ખાતું કહે છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  34.8 ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન 23 ડીગ્રી, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી.


કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ભાટીયા, રાવલ, ફલ્લા, સલાયા, દ્વારકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉઘાડ નિક્ળ્યો છે, જામનગર ઉપરાંત અનેક ગામડાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે જેથી ખેડુતોએ પોતાનું કામ ખેતરમાં શ કર્યુ છે, જો કે આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ આવશે તેવી હવામાન ખાતાએ આગાહી પણ કરી છે.  મગફળી અને કપાસનું વાવેતર થયું છે ત્યારે ખરા સમયે કાચુ સોનુ વરસતા મગફળી અને કપાસના પાકને ખુબ જ સારો ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application