ફિલ્મ સેટ પર મુલાકાત થયાપછી પ્રેમ થઈ ગયો અને લગ્ન કરી લીધા
તેલુગુ અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઐતિહાસિક જીત નોંધાવી છે. ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. વળી, પવન કલ્યાણે આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે.આ શપથ સમારોહ દરમિયાન એક વ્યક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા છે. શપથ સમારોહ દરમિયાન અન્ના લેઝનેવા પણ ત્યાં હાજર હતી અને સતત તેના ફોન પર ફોટોગ્રાફ લઈ રહી હતી.અન્ના લેઝનેવા રશિયન મૉડલ રહી ચૂકી છે. તેનો જન્મ 1980માં રશિયામાં થયો હતો. તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તીન માર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2013 માં પવન કલ્યાણ સાથે થયા હતા લગ્ન
પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાએ ફિલ્મ તીન મારમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંને સાથે રહેવા લાગ્યા. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા.2017માં અન્ના લેઝનેવા અને પવનના પુત્ર માર્ક શંકર પવનોવિચનો જન્મ થયો. અન્ના લેઝનેવાના પ્રથમ લગ્ન સફળ રહ્યા ન હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને એક પુત્રી છે, જેનું નામ અંજના પાવનોવા છે.
અણબનાવની ફેલાઇ હતી અફવા
ગયા વર્ષે અફવાઓ સામે આવી હતી કે બંને વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બંને અલગ રહેવા લાગ્યા હતા. આ અફવા ત્યારે સામે આવી જ્યારે અન્ના તેલુગુ સ્ટાર વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈ થઈ. બંને આમાં સામેલ નહોતા થયા.
આ ઉપરાંત તેઓ રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના નામકરણ સમારોહમાં પણ સાથે જોવા મળ્યા ન હતા. જોકે, પવન કલ્યાણ આંધ્રપ્રદેશની ચૂંટણીમાં જીત્યા અને અન્ના લેઝનેવા અને તેમના પુત્ર અકીરા નંદને તેમનું સ્વાગત કર્યું ત્યારે આ અફવાઓ પર વિરામ મૂકવામાં આવ્યો. આ દરમિયાન અન્ના લેઝનેવાએ તેમની આરતી ઉતારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech