રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ આજે પ્રેક્ટિસ કરી: ઇંગ્લેન્ડ કાલથી શરૂ કરશે

  • February 12, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયા-ઈંગ્લેંડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટની સિરીઝમાં બીજા ટેસ્ટનો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન (ખંઢેરી) સ્ટેડિયમ ખાતે તા.15થી શરૂ થનાર છે. આ માટે ટિમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે, ટી. દિલીપ, કેપ્ટન રોહિત શમર્,િ શુભમન ગિલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, કે.એસ.ભરત, મહમદ સિરાજ, આર. અશ્વિન, ધ્રુવ ઝુરેલ, યશશ્વી જયસ્વાલ જુદી જુદી ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચ્યા હતા અને તમામ પ્લેયર્સનું સયાજી હોટેલ ખાતે વેલકમ કરવામાં આવ્યું હતું. જાડેજા અને કે.એસ.રાહુલ આજે રાજકોટ પહોંચનાર છે. જયારે ઇંગ્લેંડનિયુ ટીમ આજે બપોરે રાજકોટ પહોંચશે અને તેમના માટે ફોર્ચ્યુન હોટેલમાં ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ટિમ ઇન્ડિયાએ આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી છે. ઇંગ્લેંડની ટિમ આવતીકાલથી પ્રેક્ટિસ શરૂ કરશે. 15 તારીખથી શરૂ થતા ટેસ્ટ મુકાબલામાં તા.18ના રવિવાર આવી રહયો હોવાથી દર્શકોનો ઘસારો જોવા મળી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application