ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે

  • August 07, 2024 02:20 PM 

ઓગસ્ટ ૨૦૨૪ મહિનાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧-૮-૨૦૨૪ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર-શિહોર, જિલ્લા વિકાસ અધિકારી - મહુવા તથા પોલીસ અધિક્ષક - જેસરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામૂહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦-૮-૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજૂ કરવાના રહેશે તેમ, નિવાસી અધિક કલેકટર ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application