કોવિડની રસીના કારણે યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી: આરોગ્યમંત્રી

  • February 05, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાજયમાં હાર્ટએટેકના વધતા બનાવમાં કોવીડની રસીની આડ અસર હોવાની ચર્ચા લોકોમાં જાગી છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધતા સમાજમાં પણ ચિંતા જાગી છે. કોવીડની રસીના કારણે યુવાનોમાં હાર્ટ એટેક આવવાની વાતને રાયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખંડન કરતા જણાવ્યું હતું કે, કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી અને સત્ય થી વેગળી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડ થી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.


અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧૧૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેરમાં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં પે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.



આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જર જણાયે બમાં દવાઓ આપવામાં આવેલ છે.રાય સરકાર દ્રારા સતત ટેસ્ટ–ટ્રેક–ટ્રીટમેન્ટ–વેકસીનેશન–કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્રારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાયમાં કોવિડ–૧૯ ટેસ્ટીંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર–પ્રસારની કામગીરી કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application