ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દંપત્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. તળાજાના તળાવ વિસ્તારમાં બરફના કારખાના સામે દુકાન ધરાવીને લુહારી કામ કરતા અને અહીંના રામપરા રોડ પર આવેલ શિવરંજની પાર્ક ખાતે રહેતા દંપતીએ ઘરે એકલા જ હોય ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓને હોસ્પિટલ ખાસેડાયા હતા. જ્યાં સારવાર લઈ રહેલા દંપતિએ સ્યૂસાઈડ નોટ અને મીડિયા સમક્ષ આરોપ લગાવ્યો છે કે, તળાજાના બે યુવાનો અને તેના પિતાએ ધાક ધમકી આપી છે. મકાન લખાવી લીધું છે.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા ખાતે રહેતા દિલીપ બાબુભાઈ હરસોરા (ઉ.વ ૪૭) તથા તેમના પત્ની વર્ષાબેન (ઉ.વ ૪૨) બંને એકી સાથે પોતાના ઘરે એકલા જ રહે છે. જે દંપત્તિએ ઝેરી પ્રવાહી પી જતા તેઓને સરવાર અર્થે સદવિચાર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેને લઈ સમાજના અગ્રણીઓ સહિતના દોડી આવ્યા હતા. દિલીપભાઈ ના ખિસ્સામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ પોતાનો મોટો દીકરો કાર્તિક જેમણે કમ્પ્યુટરનો અભ્યાસ કરેલ છે. તે સીએનું કામ કરતા કલ્પેશ પંડ્યાને ત્યાં નોકરી કરતા હતા. એ સમય દરમિયાન કાર્તિકને શેરબજારનો વ્યવસાય શરૂ કરવો હતો. તે માટે આઈડી પ્રુફમાગ્યા હતા. જેમાં નફા અને નુકશાનીમાં કોઈ ભાગ નહીં તેમ કહેલ. બાદ શેરબજારમાં નુકશાની ગઈ છે. સાઈઠ લાખ દેવાના છે. તેમ કહી બાપ દીકરાને મારી નાખવાની ધાક ધમકી આપવા આપતા હતા. એક વખત રામપરા રોડ પર આવેલ દુકાને લઈ જઈ કાંઠલો પકડીને ધમકાવેલ. જેના કારણે સગા સંબંધી અને ઘરેણા વેચીને ત્રીસ લાખ રૂપિયા કરી દીધા હતા. જોકેએ રૂપિયા ચેક મારફ્ત લીધા હતા. બાદ ઘર પણ લખાવી લીધેલ. આ ત્રાસના કારણે દંપતિએ અંતિમ પગલું ભર્યાનું મીડિયા બાઈટમાં જણાવ્યું હતુ. જે અંગે કલ્પેશ પંડયા,તેના ભાઈ અને પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. બનાવને લઈ સમાજના લોકો એકઠા થયા હતા. અને જરૂર જણાયે ન્યાય માટે ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરવામાં આવશે જે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ વર્ષાબેનએ જણાવ્યું હતુ કે, હું રડતી રહીને મારી પાસે મકાનના દસ્તાવેજમાં સહી કરાવી છે. જોકે સમગ્ર બનાવ મામલે પોલીસમાં એમએલસી નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech