ન્યુયોર્કમાં એનવાયસી ઈન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં રામ મંદિરના ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સૌ કોઈ ભારતીય માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જો કે, ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને અન્ય આસ્થા આધારિત જૂથોએ પરેડના આયોજકોને રામ મંદિરની ઝાંખી હટાવવાની હાકલ કરી હતી. પરંતુ આયોજકોએ ઝાંખી હટાવવાની માંગને ફગાવી દીધી હતી.
ઈન્ડિયા ડે પરેડમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પરેડ દરમિયાન દેશભકિતના ગીતો વગાડવામાં આવ્યા હતા. પરેડમાં ભાગ લેતી વખતે લોકો ભારતીય ધ્વજ લઈને આવ્યા હતા અને ડ્રમ વગાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા. કાર્નિવલ દરમિયાન, શેરીઓમાં ટેબ્લોકસ પર ધાર્મિક ગીતો વગાડવામાં આવ્યા હતા. રામ મંદિરની ઝાંખી પણ પરેડનો એક ભાગ હતી. તેને ફલોથી શણગારવામાં આવ્યો હતો.
રામમંદિરનો ૧૮–ફટ લાંબો, નવ–ફટ પહોળો અને આઠ–ફટ ઐંચો લોટ ભારતમાં બનાવવામાં આવ્યો હતો અને પરેડમાં ભાગ લેવા માટે એર કાર્ગેા દ્રારા ઉડાડવામાં આવ્યો હતો. આ પરેડમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા, પંકજ ત્રિપાઠી અને ઝહીર ઈકબાલ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ પણ ભાગ લીધો હતો. સોનાક્ષી સિંહા ગ્રાન્ડ માર્શલ હતી, અને મહેમાનોમાં અભિનેતા પંકજ ત્રિપાઠી અને સાંસદ મનોજ તિવારીનો સમાવેશ થાય છે.
પરેડને કારણે ન્યૂયોર્ક શહેરની ઘણી શેરીઓ બધં રહી હતી. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ અનુસાર, ૪૦ થી વધુ ટેબ્લોકસ, ૫૦ થી વધુ માચિગ જૂથો અને ૩૦ થી વધુ માચિગ બેન્ડે પરેડમાં ભાગ લીધો હતો. સ્વામી અવધેશાનદં ગિરીજી મહારાજે કહ્યું કે હત્પં ભારતીય–અમેરિકન સમુદાયના આમંત્રણ પર ઇન્ડિયા ડે પરેડમાં ભાગ લેવા ન્યૂયોર્ક આવ્યો છું. ભારતની દૈવી સંસ્કૃતિ, આપણી કાલાતીત, શાશ્વત સંસ્કૃતિ અને તેના મૂલ્યોની તમામ ઝલક અહીં ખૂબ જ આકર્ષક છે. રામ મંદિરની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું છે. આ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech