સ્વાતિ માલીવાલે સીએમ કેજરીવાલના પીએ પર લગાવ્યો મારપીટનો આરોપ

  • May 13, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પીએ વિભવ કુમાર પર હત્પમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માલીવાલે સવારે ૯ વાગ્યે સીએમ આવાસથી આ સંબંધમાં પીસીઆર કોલ કર્યેા હતો. કોલ બાદ દિલ્હી પોલીસ સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. સ્વાતિ માલીવાલે હજુ સુધી આ મામલે પોલીસને કોઈ ફરિયાદ આપી નથી. તે પહેલા મીડિયા સાથે વાત કરશે અને પછી ફરી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્વાતિ મળી આવી ન હતી. આ પછી પોલીસે તેને બોલાવી અને તેણે કહ્યું કે તે પછી ફરિયાદ કરશે. પ્રોટોકોલ મુજબ દિલ્હી પોલીસ સીએમ હાઉસની અંદર જઈ શકતી નથી. સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર રવિન્દ્ર સિંહ યાદવે આ સમાચારની પુષ્ટ્રિ કરી છે. સ્વાતિ માલીવાલે સીએમ કેજરીવાલના ઉશ્કેરણી પર વિભવ પર હત્પમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આવી સ્થિતિમાં જો સ્વાતિ ફરિયાદ નોંધાવે છે તો પોલીસ કેજરીવાલને પણ કેસમાં આરોપી બનાવી શકે છે.


ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અંગે વિચારણા કરી રહ્યા છે. સીએમ આવાસમાં તમામ નેતાઓ આ મામલાને ઉકેલવામાં વ્યસ્ત છે. સ્વાતિને શાંત રહેવા અને ફરિયાદ ન કરવા વિનંતી કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application