સ્વામિનારાયણ ગુરૂકુળ સરદારનગર ભાવનગરમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રંગદર્શી ઉજવણી

  • August 20, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર સંકુલ ભાવનગરમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રંગદર્શી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ’ હર ઘર તિરંગા ’ ની સૂકિતને સાકારીત   કરી વિદ્યાર્થીઓ, આચાર્યઓ અને શિક્ષકો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા જ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. 
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતાં.સાથે વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ દેશભક્તિ વિષય અંતર્ગત પોતાની  સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. આ સ્વતંત્રતા પર્વમાં મુખ્ય  અતિથિ વિશેષ  દર્શકભાઈ શાહ (મધુસિલિકા), હરેશભાઈ ડોડિયા, ઘનશ્યામ સ્વામીજી ,  કીર્તન સ્વામી , સંસ્થાના સંચાલક  કે.પી.સ્વામી તેમજ અમૃતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 
દર્શકભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કર્યું હતું.  દર્શકભાઈ શાહે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉદ્બોધન સાથે સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. સંસ્થાના સંચાલક  કે.પી. સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન સાથે સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં દરેક વિભાગના આચાર્યઓ , શિક્ષકો, દરેક કર્મચારીઓ ઉત્સાહથી જોડાયા હતા.આ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉત્સાહથી જોડાયા હતા.આ સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના નારા અને નાદ સાથે રંગમય બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application