ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે. હાલની પરીસ્થીથી મુજબ ઇન્દોરમાં પણ સુરત જેવો ખેલ પડે તો નવી નહિ.
ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલે નામાંકન ભરવામાં આવ્યું હતું. 29મી એપ્રિલે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જ્યાં સુધીમાં કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પડી દીધું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.
મિની મુંબઈ એટલે કે મધ્યપ્રદેશના ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે 24 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બમે પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.
કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ પાસે 8.50 કરોડ રૂપિયાની જંગમ અને 46.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. વ્યવસાયે બિઝનેસમેન, બમની વાર્ષિક આવક રૂ. 2.63 કરોડ છે. તેની પાસે 41 કિલો ચાંદી અને 275 ગ્રામ સોનું પણ છે.અક્ષય કાંતિ બમની પત્ની રિચા બામ પાસે 3 કિલો સોનું અને 9.3 કિલો ચાંદી છે. તે 21 કરોડ રૂપિયાની કુલ સંપત્તિની માલિક છે. તેમની પત્ની અને બે બાળકો સહિત સમગ્ર બમ પરિવારની કુલ સંપત્તિ 78 કરોડ રૂપિયા છે. જયારે ભાજપે ગઢ કહેવાતા ઈન્દોર સંસદીય ક્ષેત્રથી વર્તમાન સાંસદ શંકર લાલવાણીને ટિકિટ આપી છે. લાલવાણી પાસે 1.95 કરોડની સંપત્તિ છે.
વિજયવર્ગીયએ સેલ્ફી શેર કરી પ્રમાણ આપ્યું
કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શમર્નિા નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech