કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક બેન્ચની સ્થાપના માટે સંસદીય સમિતિની ભલામણને સ્વીકારી લીધી છે. કાયદા અને ન્યાયિક પ્રક્રિયાઓ અને તેમના સુધારા અંગેની સ્થાયી સમિતિએ ૭ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રાયસભા અને લોકસભામાં અહેવાલ રજૂ કર્યેા હતો. સમિતિના સભ્યોએ બુધવારે કહ્યું કે કાયદા મંત્રાલયે તેની ભલામણો સ્વીકારી લીધી છે. સમિતિએ તેની ભલામણોમાં કહ્યું હતું કે સર્વેાચ્ચ અદાલતની પ્રાદેશિક બેંચની સ્થાપનાથી લોકો માટે ન્યાય મેળવવાનું સરળ બનશે. આ દરેક વ્યકિતનો મૂળભૂત અધિકાર છે.
સમિતિએ કહ્યું કે દેશમાં લાંબા સમયથી પ્રાદેશિક બેન્ચની માંગ કરવામાં આવી રહી છે. આનાથી ન્યાયતત્રં પર વધી રહેલા કેસોનું ભારણ ઘટશે. આ સાથે, મુકદ્દમાનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. સમિતિએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વતી વાર્ષિક અહેવાલની સમીક્ષા કરી છે. સમિતિએ સર્વેાચ્ચ અદાલતની પ્રાદેશિક બેન્ચની શકયતા અંગેની તેની અગાઉની ભલામણોનો ઉલ્લેખ કર્યેા છે. સમિતિએ અગાઉ કહ્યું હતું કે સર્વેાચ્ચ અદાલતની પ્રાદેશિક બેંચની માંગ ન્યાયની પહોંચ વિશે છે, જે બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકના ઘર સુધી ન્યાય પહોંચાડવા માટે દેશમાં સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક બેંચ બનાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. પ્રાદેશિક બેંચોને ન્યાયતત્રં પર કેસના વધતા જતા ભારને ઉકેલવા અને સામાન્ય માણસ માટે મુકદ્દમાનો ખર્ચ ઘટાડવાના ઉકેલ તરીકે પણ જોઈ શકાય છે
કાયદા મંત્રાલયે તેમના કામના આધારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિવૃત્તિ વય વધારવાની સંસદીય સમિતિની ભલામણને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સરકારે કહ્યું કે આ વ્યવહા નહીં હોય. જોગવાઈઓ અનુસાર હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે યારે હાઈકોર્ટના ન્યાયાધીશો ૬૨ વર્ષની વયે નિવૃત્ત થાય છે. ભાજપના રાયસભાના સભ્ય સુશીલ કુમાર મોદીની આગેવાની હેઠળની સમિતિની ભલામણ પર સરકારે કહ્યું કે નિવૃત્તિની ઉંમર વધારવાના મુદ્દા સાથે કામગીરીના મૂલ્યાંકનને જોડવું વ્યવહા હોઈ શકે નહીં. આ અપેક્ષિત પરિણામો ન આપી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech