2021માં પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે તે તોડી પાડવામાં આવેલા મકાનોને સરકારી ખર્ચે ફરીથી બનાવવાનો આદેશ આપી શકે છે. અરજદારોએ દલીલ કરી હતી કે, નોટિસ મળ્યાના થોડા કલાકોમાં જ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને જવાબ આપવાની કે કાનૂની બચાવ કરવાની તક પણ આપવામાં આવી નહોતી.
આ કાર્યવાહીમાં 5 લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.
રવિવાર, ૭ માર્ચ ૨૦૨૧ના રોજ થયેલી આ કાર્યવાહીમાં, પ્રોફેસર અલી અહેમદ અને વકીલ ઝુલ્ફીકાર હૈદર સહિત કુલ ૫ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમને 6 માર્ચ, શનિવારની રાત્રે નોટિસ આપવામાં આવી હતી. જોકે, નોટિસ પર 1 માર્ચની તારીખ લખેલી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ તે જમીનના લીઝ ધારકો હતા જેના પર આ મકાનો બનાવવામાં આવ્યા હતા. વહીવટી તંત્રે તે સ્થળને માફિયા અને રાજકારણી અતીક અહેમદ સાથે જોડીને આ કાર્યવાહી કરી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી
અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારના નિવેદનને રેકોર્ડ પર લીધું હતું કે જમીન નઝુલ જમીન હતી. તેનો ઉપયોગ જાહેર હેતુ માટે થવાનો હતો. ૧૯૦૬થી ચાલુ રહેલ લીઝ ૧૯૯૬માં સમાપ્ત થઈ ગઈ હતી. અરજદારોએ લીઝ હોલ્ડને ફ્રી હોલ્ડમાં રૂપાંતરિત કરવા માટે અરજી કરી હતી. તે અરજીઓ 2015 અને 2019માં નકારી કાઢવામાં આવી હતી. આવી સ્થિતિમાં, બુલડોઝર કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જસ્ટિસ અભય એસ. ઓકા અને એન. કોટિશવર સિંહની બેન્ચે કહ્યું કે, ઘર ઉતાવળમાં તોડી પાડવું ખોટું હતું. જસ્ટિસ ઓકાએ કહ્યું, "શું તમે જાણો છો કે બંધારણમાં કલમ 21 (જીવનનો અધિકાર) જેવું કંઈક છે? જે રીતે મામલો છે, તેનો એક ઉકેલ એ છે કે આ મકાનો સરકારી ખર્ચે ફરીથી બનાવવામાં આવે.
બે ન્યાયાધીશોની બેન્ચે બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તે નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે, લોકોને કાનૂની બચાવ માટે પૂરતો સમય અને તક આપ્યા પછી જ તોડી પાડવાની કાર્યવાહી કરી શકાય છે. યુપી સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરામણીએ આ મામલો નવેસરથી વિચારણા માટે હાઇકોર્ટમાં મોકલવાનું સૂચન કર્યું. પરંતુ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો અને કહ્યું કે, આગામી સુનાવણી 21 માર્ચે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech