બાબરિયા કોલોનીની ૨૨ વર્ષીય પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

  • February 21, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બાબરીયા કોલોની વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ રાત્રીના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પરિણીતાનો પતિ અહીં નજીકમાં જ રહેતા માતા–પિતાના ઘરે આંટો મારવા ગયો હતો દરમિયાન પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું.જેની જાણ પાડોશીને થતા તેણે પતિને આ બાબતે જાણ કરી હતી. પરિણીતાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના બાબારીયા કલોની વિસ્તારમાં શ્યામ હોલવાળી શેરીમાં રહેતી પુજાબેન અર્જુનભાઇ પટેલ(ઉ.વ ૨૨) નામની પરિણીતાએ ગઇકાલે રાત્રીના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા આ અંગે ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ ના ઇએમટીએ જોઇ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ એચ.વી.રાયઝાદા અને રાઇટર મયુરસિંહે અહીં પહોચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો.
આપઘાતના આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આ પરિવાર મૂળ બિહારનો વતની છે અને છેલ્લા ઘણાં વર્ષેાથી રાજકોટમાં સ્થાયી થયો છે.પરિણીતાનો લગાળો ૪ વર્ષનો હતો તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે.પરિણીતાનો પતિ અર્જુન મજુરીકામ કરે છે. પતિ–પત્ની અહીં ભાડાના મકાનમાં ઉપરના માળે રહેતા હતા જયારે નીચેના માળે મકાનમાલિક રહે છે.અહીં નજીકમાં જ પતિના માતા–પિતા રહેતા હોય રાત્રીના તે તેમના ઘરે ગયો હતો.દરમિયાન પાછળથી પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું.આ સમયે પાડોશી બારીમાંથી પરિણીતાને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ જતા તેમણે પતિને જાણ કરી હતી.જેથી તુરતં અહીં પહોંચી બારણું ખોલવાનો પ્રયાસ કરતા બારણું બધં હોય જેથી જેમ તેમ કરી બારણું ખોલી અંદર જોતા પત્નીને ફાંસો ખાઇ લીધો હતો.બાદમાં ૧૦૮ ને જાણ કરી હતી.પરિણીતાએ કયાં કારણસર આ પગલૂં ભરી લીધુ તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application