ચોમાસામાં વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય
ચોમાસામાં વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે તે તાજગી અને ઠંડક પણ લઈને આવે છે. પરંતુ આ ઋતુ દરમિયાન વાળની સમસ્યા પણ વધી જાય છે. ખાસ કરીને વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આ સિઝનમાં ઘણા લોકો પોતાના વાળને લઈને પરેશાન થઈ જાય છે. ચાલો જાણીએ ચોમાસામાં આ સમસ્યાઓ શા માટે વધે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય અને તેના ઉપાયો શું.
ચોમાસામાં વાળ કેમ ખરે છે?
ચોમાસા દરમિયાન હવામાં ભેજનું સ્તર વધે છે, જેની અસર આપણા વાળ પર પણ પડે છે. આ ભેજને કારણે વાળના મૂળ નબળા પડી જાય છે, જેના કારણે વાળ વધુ પડતા ખરવા લાગે છે. આ સિવાય આ ઋતુમાં માથા પર વધુ તેલ અને પરસેવો ઉત્પન્ન થાય છે, જેનાથી વાળનું ચીકણીપણું વધે છે. આ સ્ટીકીનેસ વાળને મૂળમાંથી નબળા બનાવી શકે છે અને તેને તૂટવાનું કારણ બની શકે છે.
ચોમાસામાં ડેન્ડ્રફ કેમ વધે છે?
ચોમાસાની ઋતુમાં માથાની ચામડી પર ભેજ અને તેલ એકઠું થાય છે, જેનાથી ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ ફૂગ ડેન્ડ્રફનું કારણ બને છે. માથાની ઉપરની ચામડી પર જ્યારે ડેન્ડ્રફ જમા થાય છે ત્યારે વાળના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે અને વાળના મૂળ નબળા પડી જાય છે.
વાળની આ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય?
વાળને સ્વચ્છ રાખોઃ ચોમાસામાં નિયમિતપણે વાળ ધોવા ખૂબ જરૂરી છે. તેનાથી માથા પરની ચામડીમાં જામેલું તેલ અને ગંદકી દૂર થાય છે, જેનાથી વાળના મૂળ મજબૂત રહે છે.
યોગ્ય શેમ્પૂનો ઉપયોગ કરો: એવું શેમ્પૂ પસંદ કરો જે વાળને યોગ્ય રીતે સાફ કરે પણ તેને ડ્રાય ન થાવા દે. યોગ્ય શેમ્પૂ વાળમાં ભેજ જાળવી રાખે છે અને ડેન્ડ્રફ ઘટાડે છે.
વાળને યોગ્ય રીતે સુકાવો: વાળ ધોયા પછી તેને સારી રીતે સુકાવો. ભીના વાળને બાંધવાથી વાળ નબળા પડી શકે છે અને તૂટે છે.
સ્વસ્થ આહાર: તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો અને બદામ જેવી પોષણયુક્ત આહારનો ઉપયોગ કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહિદને પોતાની કિમત સમજાઈ: ફર્ઝી 2 માટે તગડી ફી વસુલી
May 10, 2025 11:45 AMપવનદીપ રાજન હજુ પણ આઈસીયુમાં, 8 કલાક સર્જરી ચાલી
May 10, 2025 11:43 AM૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં
May 10, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech