વિદ્યાર્થીઓની માતૃભાષા સુધરી: નાપાસ થવાના દરમાં ઘટાડો

  • February 26, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયારે બોર્ડની પરીક્ષાની વાત આવે ત્યારે ગણિત અને અંગ્રેજી જેવા વિષયોને સૌથી અઘરાં વિષય તરીકે જોવામાં આવે છે પરંતુ હાલમાં ઘણા વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા- ગુજરાતી પણ અઘરી લાગી રહી છે. 2019 માં ધોરણ 10 ના 7.29 લાખ વિદ્યાર્થીઓમાંથી 36 ટકા (2.35 લાખ) જેમણે ગુજરાતીને પોતાની પ્રથમ ભાષા તરીકે પસંદ કરી હતી અને તેઓ ગુજરાતીના પેપરમાં નાપાસ થયા. પાંચ વર્ષ પછી એટલે કે 2024માં આ નિષ્ફળતા દર 5.9 લાખ વિદ્યાર્થીઓમાં 9 ટકા સુધી ઘટ્યો, જે પ્રદર્શનમાં સતત સુધારો દર્શાવે છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઈબી) ના ડેટા દર્શાવે છે કે વર્ષોથી, ગુજરાતી માટે પાસિંગ ટકાવારી 81 ટકા અને 84 ટકાની વચ્ચે રહી છે, જે આ વર્ષે નવી ઊંચી સપાટીએ પહોંચશે. નિષ્ણાતો કહે છે કે 2024 માં નોંધાયેલા એકંદર મજબૂત પરિણામોના સંદર્ભમાં પાસ થયાની સુધારેલ ટકાવારીને જોવી જોઈએ, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં સારો દેખાવ કર્યો છે.


ઘણા વિદ્યાર્થીઓ માને છે કે તેઓ ગુજરાતીમાં સહજતાથી બોલે છે, તેથી ભાષાનું પેપર સરળ લાગશે. એ બાબતે સમજાવતા ગુજરાતી માધ્યમ શાળાના આચાર્યએ સમજાવ્યું કે ગુજરાતીમાં વાતચીત કરવી અને વ્યાકરણ, નિબંધ લેખન અને સાહિત્યિક કૃતિઓના અર્થઘટન જેવા ભાષાકીય વિષયો વચ્ચે નોંધપાત્ર તફાવત છે જે બોર્ડ પરીક્ષાઓમાં ચકાસવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application