પોરબંદરના રાતીયાનેશની સરકારી પ્રાથમિક શાળામાં પ્રાર્થનાસભા ચાલુ હતી ત્યારે વિદ્યાર્થીનીની માતાએ શિક્ષિકાને લાફો ઝીંકી દીધો હતો અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીના માતા-પિતા સામે ફરજમાં કાવટ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર વિસ્તારમાં આવેલ કર્મચારી સોસાયટી વિસ્તારમાં રહેતા અને રાતીયાનેશ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પૂજાબેન અજયભાઇ ખાણીયા નામના ૩૪ વર્ષના મહિલા શિક્ષિકાએ માધવપુર પોલીસમથકમાં એવો ગુન્હો દાખલ કરાવ્યો છે કે તેઓ છેલ્લા બાર વર્ષથી રાતીયાનેશ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ધોરણ ૬ થી ૮માં ગણિત-વિજ્ઞાન વિષય ભણાવે છે. તા. ૨૭-૩ના દસ વાગ્યે ફરજ માટે સ્કૂલે આવ્યા હતા અને અગિયાર વાગ્યે શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બોલી રહ્યા હતા તે સમયે તેમની શાળાની વિદ્યાર્થીની જયશ્રીની માતા ગીતાબેન મોરી અને પિતા નરેશભાઇ મોરી ત્યાં આવ્યા હતા અને ગીતાબેને બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં શિક્ષિકા પૂજાબેનને ગાલ ઉપર લાફો ઝીંકી દીધો હતો અને એવું કહેવા લાગ્યા હતા કે ‘મારી દીકરી જયશ્રીને શાળામાં બીજી વિદ્યાર્થીની સાથે અબોલા છે તો તમે કેમ સમાધાન કરાવતા નથી?’ તેમ કહી તોછડાઇભર્યુ વર્તન કરવા લાગ્યા હતા અને અપમાનિત કરવા લાગ્યા હતા આથી શિક્ષિકા પૂજાએ તેને સભ્યતાથી વાત કરવાનું કહેતા તેઓ મારવા દોડયા હતા તેથી અન્ય શિક્ષકો વચ્ચે પડતા છુટા પાડયા હતા. જતા- જતા ગીતાબેન મોરી અને તેના પતિ નરેશ મોરીએ પૂજાને એવુ કહ્યુ હતુ કે, ‘ જો હવે પછી તું શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા આવીશ તો તને નોકરીમાંથી કઢાવી મૂકીશ અને રાતીયાનેશના પાટીયા પાસે બસમાંથી ઉતરીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ’ તેવી ધમકી આપી પતિ-પત્ની જતા રહ્યા હતા. પૂજાના પતિ અજય ખાણીયા કચ્છમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેને જાણ કરી હતી અને પિતા ગોવિંદભાઇ ભીમાભાઇ પરમારને પણ જાણ કરી હતી. આથી પતિ અને પિતા બન્ને આવી જતા માધવપુર પોલીસમથક ખાતે આવીને પૂજાએ તેમની વિદ્યાર્થીની જયશ્રીના માતા-પિતા ગીતા અને નરેશ સામે ફરજમાં કાવટ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાવતા એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુથરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech