વરણા ગામમાં વિદ્યાર્થીનીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

  • June 27, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝેરી દવા પી મોત મીઠું કરતા પરિવારમાં શોકની લાગણી

જામનગર તાલુકાના વારણા ગામમાં રહેતી અને કોલેજીયન યુવતી શર્મિલાબેન નવીનભાઈ વાઘેલા (ઉ.વ.૨૩)એ ગત તા ૨૦-૬ના દિવસે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યાં  સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસે કોન્સ્ટેબલ એચ.ડી. પાંડવ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
**
જામનગરમાં વૃઘ્ધનું છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ
જામનગરમાં મેહુલપાર્કની બાજુમાં રહેતા મહાવીરસિંહ ઉદયસિંહ ગોહિલ નામના ૫૮ વર્ષના વૃઘ્ધને ગઈકાલે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તેથી પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પર તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતુ.આ બનાવ અંગે બ્રિજરાજસિંહ મહાવીરસિંહ ગોહિલે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application