એનઆઈટી પટનામાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ કર્યો હંગામો

  • September 21, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારની રાજધાની પટનામાં આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કોમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી . પોલીસે મૃતકની ઓળખ પલ્લવી તરીકે કરી છે. પલ્લવીના મિત્રો કહે છે કે તે આખો દિવસ ખુશ હતી, તેથી તેણે આત્મહત્યા કેમ કરી તે એક મોટો પ્રશ્ન છે. બનાવની માહિતી મેળવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ કોલેજ પ્રશાસન સામે વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. ઘટના ધરબાઈ જાય તે હરગીઝ ચલાવી લેવામાં નહી આવે.
આ બનાવ અંગે હજુ પોલીસ તપાસ ચાલુ છે. દરમિયાન, પલ્લવીના મિત્રોએ પોલીસને આપેલા નિવેદન મુજબ, પલ્લવી શુક્રવારે તેમની સાથે હતી અને ખુશ હતી. કોઈને ખ્યાલ નહોતો કે તે આવું કરશે. આવી સ્થિતિમાં પલ્લવીએ આવું કેમ કર્યું તે એક મોટો પ્રશ્ન છે. તેના મિત્રોએ પોલીસને જણાવ્યું કે પલ્લવી ખૂબ જ ખુશ છોકરી હતી. તેણી તેના અભ્યાસમાં પણ સારી હતી, તેથી કોઈ સમજી શક્યું નથી કે આ અચાનક કેવી રીતે થયું.
પલ્લવીના શંકાસ્પદ મૃત્યુને લઈને એનઆઈટી કેમ્પસના વિદ્યાર્થીઓમાં હોબાળો મચાવવાનું શરુ કરી દીધું હતું અને આખી ઘટનાની ન્યાયી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી, આ તકે વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સામે જોરદાર સૂત્રોચ્ચાર કયર્િ હતા. કેમ્પસમાં વધી રહેલા તણાવને જોતા પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. ઘણા નારાજ વિદ્યાર્થીઓ પણ કેમ્પસના ગેટ પર વિરોધ પ્રદર્શન કરવા બેસી જતા સ્થિતિ તનાવપૂર્ણ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application