લુઘિયાનામાં સતલુજ એક્સપ્રેસ પર પત્થરમારો, 4 વર્ષના બાળકને માથામાં થયું ફ્રેક્ચર

  • September 06, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





લુધિયાણાના બદ્દોવાલમાં ગુરુવારે મોડી સાંજે તોફાની તત્વોએ સતલુજ એક્સપ્રેસ (14630) પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન બારી પાસે બેઠેલા ચાર વર્ષના બાળકના માથામાં પથ્થર વાગ્યો હતો. બાળકના માથામાં પથ્થર વાગ્યો હતો અને તેના માથાનું હાડકુ તૂટી ગયું હતું.




આ ઉપરાંત ટ્રેનના લોકો પાયલટ સહિત ઘણા મુસાફરોને પણ પથ્થરો વાગ્યા હતા, પરંતુ તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. ટ્રેન પર પથ્થરમારો થતાં જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ પછી મુસાફરોએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી.




13 કિલોમીટર સુધી પ્રાથમિક સારવાર ઉપલબ્ધ નહીં



ટ્રેન ઉભી થતાં જ ટિકિટ ચેકર કોચ પાસે પહોંચી ગયો અને બાળકની ગંભીર હાલત અને સ્ટાફ પાસે પ્રાથમિક સારવારની સુવિધા ન હોવાને કારણે ટ્રેનને તાત્કાલિક લુધિયાણા તરફ રવાના કરવામાં આવી. તે બાદ બાળક લગભગ 13 કિલોમીટરનો પ્રવાસ કરીને લોહીલુહાણ હાલતમાં લુધિયાણા પહોંચી ગયો હતો. લુધિયાણા સ્ટેશન પર, પરિવારના સભ્યો બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી ડોકટરોએ તેના માથામાં ફ્રેક્ચર થયું હોવોનું કહેતા તેને પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application