બિહારના સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની એકસપ્રેસ પર પથ્થરમારો

  • September 27, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ટ્રેન પરની ઘાત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટ્રેન અકસ્માત અથવા તો હત્પમલાઓની ઘટના ઓછી થવાને બદલે વધી રહી છે.
બિહારના સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિલ પર અસામાજિક તત્વોએ જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એકસપ્રેસ પર પથ્થરમારો કર્યેા હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી હતી. હાલ આ મામલે રેલવે દ્રારા તપાસ ચાલી રહી છે.
મોડી રાતે સમસ્તીપુરમાં થોડો સમય રોકાયા બાદ ટ્રેન મુઝફરપુર જવા રવાના થઈ હતી. ટ્રેન આઉટર સિલ પર પહોંચતા જ તેના પર પથ્થરમારો શ થઈ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારાથી મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની યારે જીઆરપીની એસ્કોર્ટ પાર્ટી ટ્રેનની અંદર હાજર હતી. ટ્રેન લગભગ ૪૫ મિનિટના વિલંબથી મુઝફરપુર જંકશન પહોંચી હતી. માહિતી મળતાં જ આરપીએફ અને જીઆરપીના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની તપાસ કરી. પથ્થરમારાના કારણે પેન્ટ્રી કારને અડીને આવેલા એ–૧ અને બી–૨ કોચના કાચ તૂટી ગયા હતા. ઘણા સ્લીપર કોચની બારીઓ પણ પથ્થરોથી ઢંકાયેલી હતી. ડિબ્રુગઢ–નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ જે સ્વતંત્રતા સેનાની એકસપ્રેસની આગળથી પસાર થઈ હતી તેના પર પણ પથ્થરમારો થયો હોવાની વાત છે, પરંતુ તેની પુષ્ટ્રિ થઈ શકી નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાબોધિ એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. યમુના બ્રિજ પાસે તોફાની તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યેા હતો. આમાંથી એક પથ્થર ગાર્ડની બ્રેક પેનલ પર વાગ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરો કે રેલવે કર્મચારીઓને ઈજા થઈ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application