છત્તીસગઢમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ત્રણ ડબ્બાના કાચ તોડ્યા, 5 આરોપીઓની કરી ધરપકડ

  • September 14, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અહીં બાગબહરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનનાં ત્રણ ડબ્બાનાં કાચ તૂટી ગયા છે.


RPF ઓફિસરના જણાવ્યા અનુસાર, 16મી સપ્ટેમ્બરથી વંદે ભારત ટ્રેન દોડશે તેનું ગઈકાલે ટ્રાયલ હતું. જે સવારે 7.10 વાગ્યે મહાસમુંદથી નીકળી હતી. 9 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ બગબહેરા નજીક એક ચાલતા વાહન પરથી પથ્થરમારો કર્યો હતો. ત્યારે સહાયક પાર્ટી ટ્રેનમાં હથિયારો સાથે હતી. માહિતી મળ્યા બાદ તરત જ એક ટીમે જઈને તપાસ કરી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે. આ પાંચેય એરોપીઓ બાગબહરાના છે. આરપીએફ અધિકારીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિવકુમાર બઘેલ નામના આરોપીનો ભાઈ કાઉન્સિલર છે.


અગાઉ પણ આવી ઘટનાઓ આવી છે સામે

અગાઉ જ્યારે ગુજરાત, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી ત્યારે આવી ઘટનાઓ સામે આવી છે. આ કેસોમાં અનેક રાજ્યોમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે યુપીમાં પણ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application