શ્રીલંકાએ ફ્રી વિઝાની સમયમર્યાદા વધારી

  • May 08, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અનેક દેશો એ વિઝા ફ્રી કયર્િ હતા, જેની સમયમયર્દિા હવે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ શ્રીલંકાએ પોતાના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ફ્રી વિઝાની સમયમયર્દિામાં વધારો કર્યો છે. નાદાર જાહેર થયા બાદ, શ્રીલંકા ફરી એકવાર પોતાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ દેશ વિદેશી પર્યટકોને સમયાંતરે અનેક પ્રકારની ઓફરો આપતો રહે છે. આવી સ્થિતિમાં, શ્રીલંકાની કેબિનેટે ફરી એકવાર ઘણા દેશો માટે શ્રીલંકાના વિઝા ફ્રી કરવાની સમયમયર્દિા વધારી દીધી છે. ભારત એવા દેશોમાંનો એક છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા ફ્રી ડેડલાઈન લંબાવી છે. આ નિર્ણયને પાયલોટ પ્રોજેક્ટ તરીકે 30 દિવસ માટે લાગુ કરવામાં આવશે. અહીં આવવાથી પ્રવાસીઓને કોલંબો, દાંબુલા, કેન્ડી, નુવારા એલિયા વગેરે સ્થળોની મુલાકાત લેવાની તક મળે છે.શ્રીલંકાએ તાત્કાલિક અસરથી ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ સહિતના ભારતના પ્રવાસીઓને મફત પ્રવેશની મંજૂરી આપી હતી. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે ફ્રી વિઝા મેળવી શકશે. સપ્ટેમ્બર 2023ના ડેટા અનુસાર, શ્રીલંકા આવતા મુસાફરોમાં ભારત 30 હજાર મુસાફરો અને 26 ટકા સાથે પ્રથમ સ્થાને છે અને આઠ હજાર મુસાફરો સાથે ચીન બીજા સ્થાને છે. જો કે વિઝા-ફ્રી પ્રવેશ પસંદગીના દેશોના પ્રવાસીઓને 30 દિવસ સુધી શ્રીલંકામાં રહેવાની મંજૂરી આપે છે, તેઓએ તેમના આગમન પહેલાં તેમના વિઝા માટે ઑનલાઇન અરજી કરવી આવશ્યક છે. ઘણા દેશો માટે વિઝા-ફ્રી પ્રવેશ હોવા છતાં, શ્રીલંકાની સરકાર 30-દિવસના આગમન વિઝા પર દેશમાં પ્રવેશતા મુલાકાતીઓ માટે 50 ડોલર ફી રાખી છે. આ નિર્ણય પર્યટન ઉદ્યોગ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને પ્રોત્સાહિત કરવા માટે વિઝા ફી મર્યિદિત કરવા સરકારને કરેલી અપીલથી પ્રભાવિત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application