મહાશિવરાત્રિએ કાશી વિશ્વનાથ મહાદેવને વરરાજાની જેમ શૃંગાર કરાયો, સવિશેષ પૂજાનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો, કરો આજના દર્શન

  • February 26, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી-ઘોડાની સવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા. હર હર મહાદેવનો નાદ. આ રીતે, 7 શૈવ અખાડાના 10 હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પહોંચી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર જવાનો રસ્તો નાગા સાધુઓ માટે બેરિકેડ કરવામાં આવ્યો છે. નાગા સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે ઉભા છે.

સૌ પ્રથમ, જુના અખાડાના નાગા સાધુઓ મંદિર પહોંચ્યા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ પણ તેમની સાથે રહ્યા. નાગા સાધુઓની શોભાયાત્રામાં ગાડીઓ, ઢોલ-નગારા અને શસ્ત્ર-અસ્ત્રની સાથે સ્ટંટ કરતા સાધુઓ સામેલ રહ્યા.

મધ્યરાત્રિથી લગભગ 2 લાખ ભક્તો 3 કિમી લાંબી કતારમાં ઉભા છે. સવારથી અત્યારસુધીમાં 2.37 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. 2:15 વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમનો વરરાજાની જેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application