સપ્તપદી પહેલા અનંત-રાધિકાના ઘરે કરાશે વિશેષ પૂજા

  • June 19, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આખા અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં એન્ટિલિયામાં ગુંજશે શ્લોક અને પ્રાર્થના, 29 જુનથી લગ્નનું સેલિબ્રેશન શરૂ થશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ટૂંક સમયમાં જ લગ્ન થવા જઈ રહ્યા છે. કપલ સાત જન્મોના બંધનમાં બંધાય તે પહેલા એન્ટિલિયામાં તેમના માટે ખાસ પૂજા રાખવામાં આવી છે. જેમાં આખો અંબાણી પરિવાર શામેલ રહેશે.નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી ટૂંક સમયમાં જ પોતાની લેડી લવ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. અનંત અને રાધિકાના લગ્નનું સેલિબ્રેશન આ મહિને 29 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. અંબાણી પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે કપલના લગ્નના ફંક્શનની શરૂઆત ધાર્મિક કાર્યથી થશે.જાણકારી અનુસાર 29 જૂને એન્ટીલિયામાં ખાસ પૂજા રાખવામાં આવશે. જેમાં પરિવારના લોકો શામેલ રહેશે. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાના લગ્નની તૈયારી ધૂમ ધામથી ચાલી રહી છે. અનિલ કપૂરની દિકરી રિયા કપૂર દુલ્હન રાધિકા મર્ચન્ટને સ્ટાઈલ કરશે. ત્યાં જ સેલિબ્રિટી સ્ટાયલિસ્ટ શાલીના નથાની અને તેમની ટીમ અનંત અંબાણીના સ્ટાઈલિસ્ટ હશે.

આ ડિઝાઈનરના કપડા પહેરશે અનંત-રાધિકા
એવી ચર્ચા છે કે લગ્નમાં અનંત અને રાધિકા ફેમસ ડિઝાઈનર અબૂ જાની-સંદીપ ખોસલાના વેડિંગ આઉટફિટમાં લગ્ન કરશે.અનંત-રાધિકા 12 જુલાઈએ સાત ફેરા લઈને હંમેશા માટે એક બીજાના થઈ જશે. કપલના લગ્ન જીયો વર્લ્ડ સેન્ટરમાં થશે. તેમના લગ્નનું સેલિબ્રેશન 3 દિવસ સુધી ચાલશે. સેલિબ્રેશનમાં બોલિવુડના ફેમસ સ્ટાર સહિત બિઝનેસ વર્લ્ડની પણ ઘણી હસ્તિઓ શામેલ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application