સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૩-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે.
આજે કષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજુર, ધાણી, સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.રંગોત્સવ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ-ફુલો દ્વારા શુશોભન કરવામાં આવ્યું છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં ૨૦ દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે ખજુર, મધાણી અને સુખડી ૧૦૦-૧૦૦ કિલોનો અન્નકુટ ધરાવાયો છે. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહોલિકા દહન 2025 મુહૂર્ત: ભદ્રાને કારણે આ સમય પછી કરવું જોઈએ હોલિકા દહન
March 13, 2025 04:17 PMગુજરાતમાં 50 વર્ષના ઇતિહાસમાં મંદીના વમળમાં ફસાયો, હવે રત્નકલાકારોને ઉગારવા સરકારે કમર કસી
March 13, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech