'છોટીકાશી' માં શ્રાવણ મહિનાની સોમવતી અમાસે પિતૃ કૃપા માટે પીપળા પૂજન
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણ મહિનાની અમાસ સોમવારે હોય ભોળાનાથનાં ભક્તોમાં આજનાં દિને શિવ આરાધનાનો બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતાં. શ્રાવણ મહિનાની અમાસનાં પિતૃ પૂજનનું ખાસ મહત્વ હોય સનાતન હિંદુ ધર્મની પરંપરા મુજબ પિતૃ કૃપા માટે લોકોએ પીપળે પાણી રેડીને પૂર્વજોનાં આશીર્વાદ મેળવવા પ્રયાસ કર્યો હતો. નગરનાં પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સહિતનાં એવા શિવાલયો કે જ્યાં પીપળાનું વૃક્ષ પણ હોય ત્યાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. ઘણા શિવાલયો તથા ધર્મસ્થાનોમાં નારાયણ બલિ જેવા પિતૃ કાર્યો પણ કરવામાં આવ્યા હતાં. લોકોએ શ્રાવણ મહિનાનાં અંતિમ દિને ભોળાનાથની સાથે જ પૂર્વજોને પણ રિઝવવા ધર્મકાર્ય કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ
May 08, 2025 02:49 PMભારતનું વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ, પુરાવા માંગ્યા તો આવું કર્યું
May 08, 2025 02:43 PMપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech