સોની બજાર કે બાકીદારોની ખાણ ? ૧૨ મિલકત સીલ, ૫૧ લાખ વસુલ્યા

  • March 11, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે આજે સોની બજારમાં વધુ એક ડઝન મિલકતો સીલ કરવામાં આવી હતી અને બપોર સુધીમાં કુલ રૂપિયા ૫૧.૬૦ લાખની રિકવરી કરવામાં આવી હતી.

વિશેષમાં આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચ ના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વોર્ડ નં-૭માં સોની બજારમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૭,૦૦૦, સોની બજારમાં આવેલ ૩-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૫૦ લાખ, સોની બજારમાં આવેલ ’જે.પી.ટાવર્સ’ થર્ડ ફલોર શોપ નં-૪૮ સીલ, સોની બજાર મેઇન રોડ પર આવેલ વ્રજશાંતિ ગોલ્ડ પેલેસ સેકન્ડ ફલોર શોપ નં-૨૦૧ અને ૨૦૪ સહિત બે યુનિટને સીલ,

સોની બજારમાં આવેલ અમુભાઇ આર્કેડમાં શોપ નં-૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૫, ૨૦૫, ૩૦૮, ૪૦૪ સહિત સાત શોપને સીલ, સોની બજારમાં આવેલ અન્ય ૭-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૪.૦૫ લાખ, સોની બજાર આવેલ ઓમ ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૨ને સીલ બિલકુલ 12 મિલકતો સીલ કરવામાં આવી હતી અને બપોર સુધીમાં 51.60 લાખની કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application