સસરાના ઘરે જમાઈનો પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ

  • June 22, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સસરાના ઘરે જમાઈએ પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પત્ની ઝગડો કરી માવતરે ચાલી જતા ગઈકાલે સમજાવવા જતા સાળો, પાટલા સાસુ સહિતના પૈસા માગી ત્રાસ આપતા પગલું ભરી લીધાનો આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુઅજ્બ કોઠારીયાદ રોડ પર ફાયર સ્ટેશન પાસે રહેતા સંજયભાઈ ગોવિંદભાઇ પિત્રોડા (ઉ.વ.48) નામના આધેડે ગત રાત્રીના નવેક વાગ્યે મેહુલ નગરમાં રહેતા સસરાના ઘરે ગયા હતા ત્યારે પોતે શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
સંજયભાઈ કારખાનામાં કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. સંજયભાઈના કહેવા મુજબ પત્ની શંકા કુશંકા કરી ઝગડો કરતી હોઈ ઘરમાં અવાર નવાર કજિયા થતા હોવાથી અગાઉ મામલો મહિલા પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. છેલ્લા 21 દિવસથી પત્ની મેહુલનગરમાં રહેતા તેના માવતરના ઘરે ચાલી ગઈ હતી અને છૂટાછેડાની વાત કરતા તેના કાગળો પણ તૈયાર કરાવ્યા હતા.
જેની જાણ સાડાને થતા છૂટાછેડાના પૈસા આપવા માટે ફોન કરી માગણી કરતા હોવાથી ગઈકાલે સસરાના ઘરે સમજાવવા ગયો હતો ત્યારે પત્ની, સાળો, પાટલા સાસુ સહિતના જેમ તેમ બોલી માથાકૂટ કરવા લાગતા સાથે જ લઇ ગયેલા પેટ્રોલની બોટલમાંથી પેટ્રોલ છાંટી જાતે સળગી ગયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે આધેડના આક્ષેપોના આધારે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application