સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલ બંગલો, બગીચો હટાવવા જિલ્લા કલેકટર સમક્ષ ઘા: ભાણવડમાં ટોક ઓફ ધ ટાઉન
રાજકોટના વેપારી રસીકભાઇ વીરજીભાઇ ખાણધરે રણજીતપરામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બંગલો અને બગીચો, ગેરેજ બનાવેલ છે, આ ત્રણ વિઘા સામે તેમના પુત્ર હાર્દિક ખાણધરે એડવોકેટ વી.એચ. કનારા મારફત જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે. આ ભાણવડ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
રાજકોટના વેપારી રસિક વીરજીભાઈ ખાણધરે ભાણવડમાં રણજીત પરામાં સેવા સદન તરીકે રે. સર્વે નં. 2092 પૈકી-1 અને 2092 પૈકી-2 વાળી સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી 80 બાય 80 ફુટમાં બંગલો બાંધેલ છે અને સામેની ત્રણ વિદ્યા જેટલી સરકારી જમીનમાં દબાણ કરી ગેરેજ અને બગીચો બનાવેલ છે.
ફરીયાદી પુત્ર હાર્દિક રસિકલાલ ખાણધરએ વધુમાં એવી રજુઆત કરેલ છે કે તેની માતા હૈયાત હોવા છતા તેના પિતાજી ઐયાશી જીવન જીવે છે અને અન્ય સ્ત્રીઓ સાથે વિકએન્ડ માણવા ભાણવડ ખાતે આ બંગલો અને ગાર્ડન બનાવેલ છે. પુત્ર અને પુત્રવધુને કાઢી મુકેલ છે.
આમ પિતાએ પુત્ર અને પુત્રવધુને હડધુત કરી કાઢી મુકતા બન્નેએ જામનગર આશરો લીધેલ છે અને તેના પિતા દ્વારા આ પુત્ર અને પુત્રવધુને મદદ કરનાર આગેવાનો સામે ખોટા આક્ષેપો સામે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પુત્ર દ્વારા આ લેન્ડ ગ્રેબિંગ એકટ તળેની ફરીયાદ દેવભુમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર સમક્ષ નિયમીત નમુનામાં કરવામાં આવી છે. ફરીયાદી વતી વકીલ ડો. વી.એચ. કનારા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech