કેટલીક બિનજરૂરી દલીલો પણ સબંધોમાં પાડી શકે છે તિરાડ, રાખો આ બાબતોનું ધ્યાન

  • August 02, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગ્ન પછી પણ દંપતી વચ્ચે ઘણી બધી બાબતોને લઈને દલીલો થતી રહે છે. ઘણી વખત આ નાની નાની દલીલો મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે. જેના કારણે દિવસો સુધી વાત કરવાનું પણ અટકી જાય છે, જો કે આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે થોડી સમજણ બતાવીને, તમે નવા સંબંધોમાં રોજિંદા ઝઘડાને રોકી શકો છો.

સંબંધોમાં આ રીતે રોકી શકાશે ઝઘડાઓ


1. ઝગડો પ્રતિક્રિયા સાથે શરૂ થાય છે. કઈ બાબતો પર પ્રતિક્રિયા આપવી અને કઈ બાબતની અવગણના કરવી તે સમજવું સૌથી મહત્વપૂર્ણ છે. જો પાર્ટનર કંઈક કહેતો હોય તો તેને અવશ્ય સાંભળો, અને સમજીને પ્રતિક્રિયા આપો.


2. જો ખાવાની આદતો અને સ્વચ્છતાને લઈને ઝઘડો થાય છે તો બિનજરૂરી દલીલો ટાળો, કારણ કે તે ઝગડો વધારે છે. ભૂલ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી.


3. જો તમારુ પાર્ટનર બહારથી આવ્યું છે અને કોઈ એવી વાત પર ગુસ્સે છે જેનો કોઈ અર્થ નથી, તો તમારે પણ તેની સામે બૂમો પાડવાનું શરૂ ન કરવું જોઈએ. ઘણી વખત આ બાહ્ય તણાવ ગુસ્સામાં પરીવર્તે છે.તે સમયે તેને સાંભળવું વધુ સારું છે


4. ઝઘડામાં અહંકારને સામેલ કરશો નહીં, કારણ કે તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે અને મોટાભાગના ઝઘડા અહંકારને કારણે થાય છે. સ્વાભિમાન જાળવવું જરૂરી છે, પરંતુ અહંકાર સાથે અર્થહીન દલીલો કરીને  જીતવાનો પ્રયાસ કરવાથી નુકસાન જ થાય છે.


5. જો તમારો પાર્ટનર તમારા કરતા નાનું  છે, તો તેનું મેચ્યોરિટી લેવલ પણ તમારા કરતા ઓછું હશે. આવી સ્થિતિમાં, તેને સમજાવીને વસ્તુઓ સુધારી શકાય તે માટે લડાઈ ન કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application