દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકારની શઆત થઈ છે. ૯ જૂને સાંજે રાષ્ટ્ર્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ૭૧ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. પીએમ મોદીની નવી કેબિનેટમાં નવું સોશિયલ એન્જિનિયરિંગ છે અને તે રાયોની રાજનીતિ પર પણ ધ્યાન આપે છે. નવા મતદાર વર્ગની સાથે સાથે, મુખ્ય મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,
અન્ય પછાત વર્ગેા (ઓબીસી) અને એસઈબીસી, જે ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી ભારત બ્લોકની રણનીતિના કેન્દ્રમાં હતા, તેમને મોદી કેબિનેટમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ઓબીસીમાંથી ૨૭ અને એસઈબીસી (એકસટ્રીમલી બેકવર્ડ કલાસ)માંથી બે, કુલ ૨૯ મંત્રીઓ આ શ્રેણીમાંથી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે એસઈબીસી એ ઓબીસીની પેટા શ્રેણી છે. ઓબીસ –એસઈબીસી પછી જનરલ કેટેગરી આવે છે. મોદી સરકારમાં સામાન્ય કેટેગરીના ૨૮ મંત્રીઓ, જે ભાજપના મુખ્ય મતદારો માનવામાં આવે છે, અનુસૂચિત જાતિ (એસસી)માંથી ૧૦ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી ૫ મંત્રી બનાવવામાં આવ્યા છે. િસ્તી સમુદાયમાંથી એક મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.
મોદી સરકાર ૩.૦માં ભાજપે પણ કેબિનેટ દ્રારા જાતિ અંકગણિત કયુ છે. ભાજપના મુખ્ય મતદારો ગણાતા જનરલ કેટેગરીના ૨૮ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જાતિના આધારે જોવામાં આવે તો આઠ બ્રાહ્મણો અને ત્રણ રાજપૂત નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી સરકારમાં ભૂમિહાર, યાદવ, જાટ, કુર્મી, મરાઠા અને વોક્કાલિગા વર્ગના બે–બે પ્રધાનો છે. બે મંત્રીઓ પણ શીખ સમુદાયના છે જેમાં જાટ અને પંજાબી ખત્રીનો સમાવેશ થાય છે. કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાયની સાથે નિષાદ, લોધ જાતિ અને મહાદલિત વર્ગના ચહેરાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના પ્રભાવશાળી માતુઆ સમુદાયની સાથે, આહીર, ગુર્જર, ખટીક અને બનિયા વર્ગના એક–એક નેતા કેબિનેટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
રાયોની વાત કરીએ તો સીટોની દ્રષ્ટ્રિએ સૌથી મોટા રાય ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી સહિત સૌથી વધુ ૧૦ મંત્રીઓ છે. રાજનાથ સિંહની સાથે જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, કમલેશ પાસવાન, એસપી સિંહ બઘેલ, બીએલ વર્મા, કીર્તિવર્ધન સિંહ, આરએલડી ચીફ જયતં ચૌધરી અને અપના દળ (સોનેલાલ)ના ચીફ અનુપ્રિયા પટેલને પણ મોદી સરકાર ૩.૦માં મંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાં સ્થાનની બાબતમાં બિહાર બીજા સ્થાને છે. બિહારને મોદી કેબિનેટમાં આઠ મંત્રી પદ મળ્યા છે. ભાજપના ચાર નેતાઓ – ગિરિરાજ સિંહ, નિત્યાનદં રાય, સતીશ ચદ્રં દુબે અને રાજભૂષણ ચૌધરી સાથે, જેડીયુ કવોટામાંથી લલન સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને મંત્રી બનાવવામાં આવ્યા છે. એલજેપી કવોટામાંથી ચિરાગ પાસવાન અને હામ પાર્ટીના કવોટામાંથી જીતન રામ માંઝીને પણ મોદી સરકાર ૩.૦માં મંત્રી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી અમિત શાહની સાથે સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયાને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. શિવસેનાના પ્રતાપ રાવ જાધવ, આરપીઆઈ(એ)ના રામદાસ આઠવલે સાથે પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, મુરલીધર મોહોલ અને રક્ષા ખડસે મહારાષ્ટ્ર્રમાંથી મંત્રી બન્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિદેશી દારુની બોટલો સાથે એક ઝબ્બે : ૩ ફરાર
April 12, 2025 12:17 PMજામનગર જિલ્લામાં તા.૨૨ એપ્રિલ સુધી "પોષણ પખવાડીયા ની ઉજવણી કરાશે
April 12, 2025 12:14 PMજામનગરમાં મુખ્ય માર્ગો પરના દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાની ઝુંબેશ
April 12, 2025 12:12 PMપ્રિયંકા મારા દિલની ખૂબ નજીક: શાહરૂખ
April 12, 2025 12:05 PMજનરલ ડાયરની પ્રપૌત્રી પર અક્ષય અને કરણ જોહરે નારાજગી ઠાલવી
April 12, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech