ચક્રવાતી તોફાન દાનાએ ઓડિશામાં તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે 1.75 લાખ એકર પાક નાશ પામ્યો છે. તેમજ 2.80 લાખ એકર જમીન ડૂબી જવાની આશંકા છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે પ્રારંભિક અંદાજને ટાંકીને આ માહિતી આપી હતી.
ઓડિશામાં ભયંકર ચક્રવાતી તોફાન દાના અને ભારે વરસાદને કારણે 1.75 લાખ એકર જમીન પર ઉગાડવામાં આવેલ પાક નાશ પામ્યો છે. તેમજ 2.80 લાખ એકર જમીન ડૂબી જવાની આશંકા છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે પ્રારંભિક અંદાજને ટાંકીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે કૃષિ અને મહેસૂલ વિભાગના અધિકારીઓને ચક્રવાતને કારણે પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે.
કૃષિ અને ખેડૂત સશક્તિકરણ વિભાગના અગ્ર સચિવ અરબિન્દા પાધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે અંદાજિત 2,80,000 એકર (1,12,310 હેક્ટર) જમીન પર ઉગાડવામાં આવેલ પાક ડૂબી જવાની આશંકા છે.
કૃષિ વિભાગના પ્રાદેશિક અધિકારીઓને નિર્દેશ જારી
અરબિંદ પાધીએ કહ્યું, 'અમે કૃષિ વિભાગના પ્રાદેશિક અધિકારીઓને પાકના નુકસાન (33 ટકા અને તેથી વધુ)નું મૂલ્યાંકન કરવા અને તેની ગણતરી કરવા માટે મહેસૂલ વિભાગના તેમના સાથીદારોની દેખરેખ હેઠળ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે.' મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ શુક્રવારે રાત્રે સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનનો અંતિમ અંદાજ વિગતવાર અહેવાલ પરથી જાણી શકાશે, જેના આધારે સરકાર ખેડૂતો માટે વળતર અંગે નિર્ણય લેશે.
'8 લાખ લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડાયા હતા
મુખ્ય સચિવના જણાવ્યા મુજબ લગભગ 8 લાખ લોકોને ચક્રવાતથી બચાવવા માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હવામાન સુધરશે ત્યારે લોકો તેમના ઘરે પાછા જઈ શકશે. એક અધિકારીએ જણાવ્યું કે ચક્રવાતને કારણે લગભગ 22.42 લાખ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવાર સાંજ સુધીમાં આમાંથી 14.8 લાખ ઘરોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ઘરોમાં વીજ પુરવઠો શનિવાર સુધીમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech