ચોટીલામાં તસ્કરોનો તરખાટ: આણંદપુર રોડની આઠ દુકાનોનાં શટર તૂટ્યા

  • February 21, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા જસદણનાં મુખ્ય આણંદપુર રોડ ઉપર એક સો આઠ દુકાનોનાં તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતા વેપારીઓમાં ફફડાટ સો પોલીસ પેટ્રોલીંગ અંગે રોષ ફેલાયો છે છાસવારે બનતા ચોરીના બનાવોને કારણે લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાનાં સતત વાહનોની અવર જવરી ધમધમતા આણંદપુર રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં તેમજ આસપાસની મળી આઠ જેટલી દુકાનોઆનં શટરનાં તાળા તોડી તરખાટ મચાવતા ધર્ંધાીઓમાં ફફડાટ ફેલાયો છે.વહેલી સવારે ધર્ંધાીઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે શટર ઉચા જોતા ચોરી યાની જાણ તા પોલીસને ચોરી અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્ળે તપાસ ર્એ દોડી ગયેલ હતો ગેરેજ, ટ્રેકટર શોરૂમ, મિીકામ, મોટર રીવાઇડીંગ, કટલેરી, કરીયાણા પરચુરણ ચીજવસ્તુઓની દુકાનો હોવાી કોઇ મોટી રકમનો દલ્લ ો ગયેલ ન હોવાનું અને સામાન્ય પરચુરણ રકમની ચોરી યેલ હોવાી વેપારીઓએ ફરિયાદ નોંધાવ્યાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે પરંતું એક સો આઠ દુકાનો તૂટતા લોકોમાં તસ્કરોની રંઝાડનો ફફડાટ જોવા મળે છે. તસ્કરોનાં તરખાટ પાછળ નબળા પેટ્રોલીંગનો લાભ ચોર ટોળકીએ ઉઠાવ્યો હોવાનું અને એક કરતા વધુ લોકોએ આ ઘટનાને અંજામ આપેલ હોવાનું કહેવાય છે ત્યારે પોલીસે આસપાસ આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ચોર ટોળીની ઓળખ મેળવવા તેમજ તસ્કરી અંગે વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે સતત વાહાનોની અવર જવરી ધમધમતા આ રોડ ઉપર અવાર નવાર ચોરીના બનાવને કારણે લોકોએ આ રોડ ઉપર સઘન રાત્રી પેટ્રોલીંગની માંગ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application