મોરબીમાં તસ્કરો બેફામ, એક રાત્રીમાં ૧૫થી વધુ દુકાનના તાળાં તૂટ્યા

  • March 16, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે મોડી રાત્રીના ૧૫ થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા શીયાળા દરમિયાન તસ્કરોએ અનેક સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ નાઈટ પેટ્રોલિંગના ગાણા ગાયા હતા પરંતુ ખરેખર નાઈટ પેટ્રોલિંગ કેવું કરાય છે તેનો જીવતો પુરાવો મળી ગયો છે ગત રાત્રીના મહેન્દ્રનગર ચોકડીએ એક સાથે ૧૫ થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા અને જે સ્થળે તાળા તોડવામાં આવ્યા તે મહેન્દ્રનગર ચોકડીથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન માત્ર અડધાથી પોણો કિલોમીટરના અંતરે આવેલ છે. પોલીસ સ્ટેશન આટલું નજીક હોવા છતાં તસ્કરોની હિમત તો જુઓ કે એક બે નહિ પરંતુ ૧૫ થી વધુ દુકાનના તાળા તસ્કરોએ તોડ્યા હતા જે દુકાનમાંથી રોકડ રકમ અને પરચુરણની ચોરી થયાનું જાણવા મળ્યું છે છાશવારે ચોરીના બનાવો બનતા રહે છે અને તસ્કરો ખુલ્લ ે આમ ખાખીને પડકાર ફેંકી રહ્યા છે પરંતુ પોલીસ આવા ઇસમોને ડામવામાં સરેઆમ નિષ્ફળ રહી છે પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પણ પોલ ખુલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application