જામનગરમાં ભંગારના વાડામાંથી તાંબુ-પિત્તળ ચોરનાર તસ્કર પકડાયો

  • August 20, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા ભંગારના વાડામાંથી તાંબા-પિત્તળ સહિતના ભંગારની ચોરી થઈ હતી, તે ચોરાઉ સામગ્રી સાથે એક તસ્કરને સિટી સી. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.

જામનગર દિગ્વિજય પ્લોટ શેરી નાં ૪૯ માં રહેતો રવિ કિશોરભાઈ રાઠોડ, કે જેણે જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક ભંગારના વાડામાંથી તાંબા પીતળના ભંગારની ચોરી કરી છે, તેવી બાતમી જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસને મળી હતી, તેથી ગઈકાલે પ્રણામી સ્કૂલ પાસે વોચ ગોઠવી રવિ રાઠોડ ને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા ૨૯,૫૭૦ ની કિંમત તાંબા પિત્તળ નો ભંગાર કબ્જે કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application