ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઇતિહાસ રચ્યો છે. રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં સ્મૃતિ મંધાનાએ 70 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સ્મૃતિ મંધાના વન-ડેમાં સદી ફટકારનારી સૌથી ઝડપી ભારતીય મહિલા બેટ્સમેન બની છે. સાથે જ ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે ૪૩૫ રન ફટકાર્યા છે. અગાઉ આયર્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે ૪૯૧ રન કર્યા હતા. આ વન-ડેમાં ચોથો હાઈએસ્ટ સ્કોર છે.
હરમનપ્રીત કૌરનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આયર્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં સ્મૃતિએ 70 બોલમાં પોતાની 10મી વનડે સદી પૂરી કરી હતી. આ દરમિયાન, તેણીએ હરમનપ્રીત કૌરનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો છે, જેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી.
મંધાનાએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો
ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ પ્રતિકા રાવલ સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 233 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. મંધાનાએ મેદાન પર પોતાના બેટથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે 70 બોલમાં તોફાની સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
39 બોલમાં પોતાની અડધી સદી પૂરી
તેણે માત્ર 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 50 રન માત્ર 31 બોલમાં પૂરા કર્યા. તેના સાથી રાવલ પણ શાનદાર ફોર્મમાં હતી અને સમગ્ર ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાના પર કોઈ દબાણ નહોતું. આ ઉપરાંત, ભારતીય ઓપનરોના આક્રમણ સામે આઇરિશ બોલરો પણ સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને સ્મૃતિએ 24મી ઓવરમાં પોતાની 10મી ODI સદી પૂરી કરી હતી. મંધાના વન-ડેમાં 10 સદી ફટકારનારી પ્રથમ એશિયન મહિલા બેટ્સમેન બની છે.
ભારત માટે મહિલા વન-ડેમાં સૌથી ઝડપી 100 રન
મહિલા ODIમાં સૌથી વધુ સદી
સ્મૃતિ મંધાનાએ આજે અનેક રેકોર્ડ બનાવ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech