નાના ઉધોગોને ૧૫૦ કિલો વોટનું કનેકશન મળશે: મર્યાદા વધારો

  • September 11, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુ ઉધોગ ભારતીની રજૂઆતને પગલે ગુજરાતના નાના ઉધોગકારોને ૧૫૦ કિલો વોટનું કનેકશન મળશે. રાજકોટ સહિત રાયભરમાં એલટી વીજ ગ્રાહકોની પાવર વાપરવાની મર્યાદા સો કિલો વોટ ની છે ત્યારે આ મર્યાદાના લીધે અનેક ઉધોગકારોને અગવડતા પટડતી હતી. ઉધોગોની આ મુશ્કેલીને દૂર કરવા માટે લઘુ ઉધોગ ભારતી દ્રારા ૧૦૦ કિલો વોટ માંથી ૧૫૦ કિલો વોટ માટેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ જી ઇ ર સી એ આ વાતને માન્ય રાખીને ૧૫૦ કિલો વોટનું કનેકશન આપવા માટે મંજૂરી આપી છે.
ગુજરાતમાં નાના ઉધોગકારોને સો કિલો વોટ ની મર્યાદામાં વીજ પાવર આપવામાં આવતો હોવાના કારણે નાના અને મધ્યમ કદના એમ.એસ.એમ.ઇ. ઉધોગોને મુશ્કેલી ઊભી થતી હતી અને એચટી પાવર જોડાણમાં ઉધોગકારોને પોતાની નાની એવી જગ્યામાં ટ્રાન્સફોર્મર માટેની જગ્યા ફાળવી પડતી હતી જે સૌથી મોટી ચેલેન્જ હતી આથી રાજકોટ ખાતે આવેલ લઘુ ઉધોગ ભારતી દ્રારા સતત બે વર્ષથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી જેને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મંજૂરીની મહોર લગાવી છે તેના પગલે હવે રાયના નાના ઉધોગકારોને સો કિલો વોટમાંથી ૧૫૦ કિલો વોટ આપવા માટેની મંજૂરી મળતા ઉધોગકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ રજૂઆતનો સુખદ ઉકેલ આવતા લઘુ ઉધોગ ભારતી ના સભ્યોએ રાય સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ નો આભાર વ્યકત કર્યેા હતો. ઉધોગકારોની દૂર કરવા માટે લઘુ ઉધોગ ભારતી તરફથી બળદેવભાઈ પ્રજાપતિ, ઈશ્વરભાઈ સન, જયેશભાઈ પંડા, અશોકભાઈ પટેલ હંસરાજભાઈ ગજેરા,દિનેશભાઈ ડાંગરિયાએ અનેક વખત ગાંધીનગર જઈ બ રજૂઆતો પણ કરી હતી. સભ્યોએ જણાવ્યું હતું કે હવે ફાઉન્ડરી, સીએનસી મશીન ઉધોગ સાથે સંકળાયેલા લોકો ને હવે આ પ્રશ્નમાંથી મુકિત મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application