જલ્દી બહાર મળીશું: સિસોદિયાએ જેલમાંથી લખ્યો લાગણીભીનો પત્ર

  • April 05, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન દ્રારા કૌભાંડ માં તેમની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી ૯ માર્ચ, ૨૦૨૩ ના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.જેલમાં બધં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ પોતાની વિધાનસભા (પડપડગંજ)ના લોકોને એક પત્ર લખ્યો છે. પત્રમાં મનીષ સિસોદિયાએ લખ્યું છે કે જલ્દી બહાર મળીશું, જેમ આઝાદી સમયે બધા લડા હતા, તેવી જ રીતે અમે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ. અંગ્રેજોની સરમુખત્યાર બાદ પણ આઝાદીનું સપનું સાકાર થયું. એ જ રીતે એક દિવસ દરેક બાળકને યોગ્ય અને સાં શિક્ષણ મળશે.અંગ્રેજોને પણ પોતાની શકિતનો ખૂબ જ ગર્વ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધીજીને ઘણા વર્ષેા સુધી જેલમાં રાખ્યા. અંગ્રેજોએ નેલ્સન મંડેલાને પણ કેદ કર્યા હતા. આ લોકો મારી પ્રેરણા છે અને તમે બધા મારી તાકાત છો. જેલમાં રહીને મારો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ વધ્યો.દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા છેલ્લા ૧૩ મહિનાથી જેલમાં છે. સિસોદિયાને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન દ્રારા કૌભાંડ માં તેમની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી ૯ માર્ચ, ૨૦૨૩ ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application