બગસરા એસટી ડેપોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન કાગળ ઉપર

  • February 08, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા એસટી ડેપોમાં સરકારની શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન માત્ર કાગળ ઉપર ચાલી રહ્યું હોય તેમ ડેપોમાં આવતી ગોબરી બસોને જોતા લાગી રહ્યું છે. છેલ્લ ા બે મહિનાથી સ્વચ્છતા અભિયાનની કોઇ અમલવારી ન થતી હોવાની વ્યાપક ફરિયાદ મુસાફરો સહિતનામાં ઉઠી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૩૦૦ રૂપિયાના રોજમદાર માણસો બસની સફાઇ કરવા માટે રાખ્યા છે તે કામદારોની સહી કાગળ પર લઇ બસ સફાઇ થઇ ગઇ હોવાનું દર્શાવી ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવી રહ્યો છે. કેટલીક બસના ડ્રાઇવર કન્ડકટરે સફાઇ વગરની બસ લઇ જવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે તો કેટલાક કન્ડકટરે ખોટી સહીઓ કરવાની પણ સ્પષ્ટ ના કહી દેવામાં આવી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની ચિમકી પણ જાહેર જનતાએ ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application