સાંજે વિશેષ પુજા-પાઠ,ભજન કીર્તન,વરણાગી સહિતના ધાર્મિક કાર્યક્રમો: હાલારના વૈષ્ણવ અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
આજે પૃષ્ટી સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય ઉત્સવ દવારકામાં પુ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન શ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર, વેરાવળ, દ્વારકા—બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી) ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે. દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની આજે સાંજે વરણાગી 5.00 કલાકે કિર્તન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારશે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાશે.
બાદમાં વૈષ્ણવ પાઠશાળાના બાળકો તથા શિવણ ક્લાસની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. બાદ વરણાગી નવી હવેલીથી પ્રસ્થાન થઈ ત્રણ બત્તી ચોક,જોધાભા માણેક રોડ થઈ દ્વારકાધીશ મંદિર સન્મુખ થઈ દેવીભૂવન રોડ થઈ પુનઃ બેઠકજી પધારશે જ્યાં આશીર્વાદરૂપે નંદ મહોત્સવ થશે. બાદ નવી હવેલીના કાલિન્દીવહુજી મહારાજ વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે તેમજ વૈષ્ણવોમાં મહાપ્રસાદનું વિતરણ કરાશે.
આ ધાર્મિક અવસરે અગ્રણીઓ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), અનુપમભાઈ બારાઈ , મનસુખભાઈ બારાઈ (ગુરૂપ્રેરણા હોટલ), કિશોરભાઈ પાબારી (ગઢકા), ઈશ્વરભાઈ ઝાખરીયા, ભરતભાઈ મોદી (જામનગર), વજુભાઈ પાબારી (જામનગર), દામભાઈ દાવડા (ભાટીયા), રમેશભાઈ લાલ (ખંભાળીયા), નટુભાઈ દત્તાણી (ભાટીયા), દિપકભાઈ સોનેચા, ધનસુખભાઈ બારાઈ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહેશે.
નવી હવેલી ખાતે આજે કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરાવવામાં આવ્યું હતું સાંજે ગોમતી ઘાટ પર બિરાજતાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech