૩૯ તાલુકામાં ઝાપટાંથી માંડીને અઢી ઈંચ વરસાદ

  • September 04, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાર દિવસના વિરામ બાદ બે દિવસથી શ થયેલી મેઘ કૃપા સતત ચાલુ રહી છે, એમાં ખાસ કરીને આજ સવારે પૂરા થતા ૨૪ કલાક રાજકોટ, જેતપુર, બગસરા, સાવરકુંડલા, હળવદ, વઢવાણ, જેસર, તળાજા, મહત્પવા પંથકમાં એકથી અઢી ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. સૌરાષ્ટ્ર્ર કચ્છના કુલ ૯૦માંથી ૩૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં બગસરા દોઢ ઈંચ, સાવરકુંડલા સવા ઈંચ, યારે રાજકોટ અમરેલી લીલીયા કુકાવાવ ખાંભા રાજુલા ધારી પંથકમાં ઝાપટા સીમાડીને કોણ જ વરસાદ પડી ગયો હતો.
રાજકોટ અને જેતપુરમાં આજે સવાર સુધીમાં એક ઈંચ, યારે જિલ્લાના કોટડા સાંગાણી, જામકંડોરણા પંથકમાં પોણો ઈંચ, ધોરાજી, લોધિકા અને ગોંડલ પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
કચ્છમાં રાપરમાં અઢી ઈંચ મુન્દ્રા દોઢેજ અને ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી શહેરમાં પાંચ યારે જિલ્લાના હળવદ પંથકમાં દોઢ ઈંચ માળિયા મીયાણા, વાંકાનેર અને ટંકારામાં અડધો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર– વઢવાણમાં એક ઈંચ, ધાંગધ્રામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ભાવનગરમાં પોણો ઈંચ યારે જિલ્લાના જેસર, તળાજા, મહત્પવા અને સિહોરમાં એક થી દોઢ ઉમરાળા ગારીયાધાર અને પાલીતાણા પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં ઝાપટા, જામનગરમાં ઝાપટા અને જોડીયા પંથકમાં પણ દેવભૂમિ દ્રારકા ના ખંભાળિયામાં પણ હોય છે અને જૂનાગઢના વિસાવદર પંથકમાં ઝાપટાં પડા હતા. એકંદરે સૌરાષ્ટ્ર્ર કચ્છના ૩૯ તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application