ચોંકાવનારી ઘટના : ગોંડલમાં બે સગા ભાઈઓની જમ્યા બાદ ઉલ્ટી થઈ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, સારવાર દરમિયાન બંનેના મોત

  • September 16, 2023 12:14 PM 


ગોંડલનાં ચોંકાવનારી ઘટના બની છે. ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના  મોત થયા છે. રોહિત રાજેશભાઇ મકવાણા જેની ઉંમર 3 વર્ષ અને હરેશ રાજેશભાઇ મકવાણા જેની ઉંમર 13 હતી. બંને ને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોતનું ખરું કારણ જાણવા PM કરાશે. 


બનાવની વિગત અનુસાર, ગોંડલમાં વોરાકોટડા રોડ પર સરકારી આવાસમાં બે ભાઈઓના મોતની ચોંકાવનારી ઘટના બની છે. ઉલ્ટી થયા બાદ બંને ભાઈઓ મોતને ભેટ્યા હતા. રોહિત રાજેશભાઈ મકવાણા (ઉંમર વર્ષ 3) અને હરેશ રાજેશભાઈ મકવાણા (ઉંમર વર્ષ 13)ના મોત થયા છે. ગત સાંજે ન્યાજમાં જમ્યા બાદ ઉલ્ટી થઈ હતી. સારવાર માટે બંને ભાઈઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઉલ્ટી બાદ બંને ભાઈઓના મોત થયા છે. હાલ તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જે બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મહત્વનું છે કે, 15 દિવસ પહેલા માતા-પિતાના છૂટાછેડા થયા હતા. બાળકો પિતા સાથે રહેતા હતા. ઘટનાને લઈને ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application