શિવકુંજ આશ્રમ, જાળિયામાં બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ

  • August 17, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાની બોરુનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા દ્વારા 108 શાળામાં વિતરણનો સંકલ્પ લેવાયો
શિવકુંજ આશ્રમ, જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞ દરમિયાન બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ હતી. નાની બોરુનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા દ્વારા 108 શાળામાં વિતરણનો સંકલ્પ રહેલો છે. શિવકુંજ આશ્રમ, જાળિયામાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞ દરમિયાન નાની બોરૂનાં વતની આણંદ સ્થિત ઉદ્યોગપતિ દાતા  તાજુદીન રાજુભાઈ હાલાણી દ્વારા  હબીબ માડીનાં હસ્તે બટુકભોજન સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપરાંત રોકડ દક્ષિણા વિતરણ કરવામાં આવ્યું હતું. આ દાતા દ્વારા રાજ્યમાં ગામડાઓમાં 108 શાળામાં આ સામગ્રી વિતરણનો સંકલ્પ રહેલો છે. આ સાથે શિક્ષકોનું પણ સન્માન અભિવાદન કરવામાં આવે છે. ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને આ સામગ્રી વિતરણ વેળાએ આચાર્ય પ્રવીણભાઈ મકવાણા સાથે પિયુષભાઈ રેટિયા તથા  સપનાબેન મહેતા અને આશ્રમ પરિવાર જોડાયા હતા.
    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application