શિખર ધવને આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટસમેનમાંથી એક શિખર ધવન લાંબા સમયથી ટીમની બહાર હતો. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી શિખર ધવનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિખર ધવને આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે.શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ડિસેમ્બર–૨૦૨૨માં બાંગ્લાદેશ સામે રમી હતી. ત્યાર બાદથી તે ટીમ ઈન્ડિયામાં રમતો ન હતો.
શિખર ધવને આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા દ્રારા આપી હતી. શનિવાર, ૨૪ ઓગસ્ટની સવારે તેણે એક વીડિયો શેર કર્યેા જેમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી અને તમામ ચાહકોનો આભાર માન્યો. ક્રિકેટને અલવિદા કહેતી વખતે તેણે ખાસ કરીને પોતાના પરિવાર, બાળપણના કોચ, ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈનો આભાર માન્યો હતો.ભારતીય ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્ર્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં લખ્યું કે, મારી ક્રિકેટની સફરના આ પ્રકરણને હુ બધં કરી રહ્યો છું, ત્યારે હુ મારી સાથે અસંખ્ય યાદો અને કૃતજ્ઞતા લઈ જઈશ. પ્રેમ અને સમર્થન માટે આભાર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની સેનાનો સતત છઠ્ઠા દિવસે યુદ્ધવિરામનો ભંગ, 6 સ્થળે ફાયરિંગ
April 30, 2025 10:20 AMઅખાત્રીજના અઢાર મહત્વ: બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ
April 30, 2025 10:16 AM15 જૂનથી ગલવાન ઘાટી પહેલીવાર પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે
April 30, 2025 10:11 AMકલેઇમ રદ્ કરનાર ઇન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક સુરક્ષા કમીશનની ફટકાર
April 30, 2025 10:07 AMઆંધ્રપ્રદેશના સિંહાચલમ મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં 8 શ્રદ્ધાળુ દટાયા
April 30, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech