બાંગ્લાદેશમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. હિંસાને કારણે પૂર્વ પીએમ શેખ હસીનાએ પણ પોતાનો દેશ છોડી દીધો હતો. આ દરમિયાન હવે શેખ હસીનાએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તેમની સરકારના પતન પાછળ અમેરિકાનો હાથ છે.
અમેરિકા પર ગંભીર આરોપ
બાંગ્લાદેશથી ભારત આવી ગયેલા હસીનાએ આરોપ લગાવ્યો કે અમેરિકાએ તેની પાસે સેન્ટ માર્ટિન ટાપુ માંગ્યો હતો, જેના કારણે તેણે સત્તા ગુમાવવી પડી. પૂર્વ PMએ કહ્યું કે અમેરિકા આ ટાપુ દ્વારા બંગાળની ખાડીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.
કટ્ટરવાદીઓ દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં
હસીનાએ અહેવાલમાં જણાવ્યું હતુ કે "હું બાંગ્લાદેશના લોકોને વિનંતી કરું છું કે કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરાશો,"
શેખ હસીનાએ વધુમાં કહ્યું કે,
મેં એટલા માટે રાજીનામું આપ્યું કે મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહોના બળ પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તે થવા દીધું નહીં. મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. જો મેં સેન્ટ માર્ટિન ટાપુ પર યુએસને સાર્વભૌમત્વ આપ્યું હોત અને તેને બંગાળની ખાડી પર શાસન કરવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત.
સેન્ટ માર્ટિન આઈલેન્ડ માત્ર 3 ચોરસ કિલોમીટરનો ટાપુ છે અને તે બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત છે. આ બાંગ્લાદેશનો સૌથી દક્ષિણ ભાગ છે.
તો આજે પણ હું પીએમ હોત...
હસીનાએ વધુમાં કહ્યું કે, જો હું દેશમાં રહી હોત તો વધુ લોકોના જીવ ગયા હોત. હું આજે પણ પીએમ હોત, પરંતુ મેં ત્યાંના લોકો માટે મારી જાતને દૂર કરી. તેણીએ કહ્યું કે બાંગ્લાદેશના લોકો મારી તાકાત છે, જ્યારે તેઓ મને ઈચ્છતા ન હતા ત્યારે હું ત્યાંથી નીકળી ગઈ.
હું જલ્દી પાછી આવીશઃ હસીના
શેખ હસીનાએ પોતાની પાર્ટીના સભ્યોને એક સંદેશમાં કહ્યું કે અવામી લીગએ હંમેશા પરત ફર્યું છે અને આજે પણ આશા ન ગુમાવવી જોઈએ. હસીનાએ કહ્યું કે તે ટૂંક સમયમાં પરત આવશે. હું હારી ગઈ છું, પરંતુ બાંગ્લાદેશના લોકો જીત્યા છે, જે લોકો માટે મારા પિતા, મારા પરિવારે પોતાનો જીવ આપ્યો છે.
રઝાકારના નિવેદન પર સ્પષ્ટતા આપી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાને વધુમાં કહ્યું કે અવામી લીગના નેતાઓને નિશાન બનાવવાથી તે ખૂબ જ દુઃખી છે. તેણીએ કહ્યું કે અવામી લીગે હંમેશા પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ક્યારેય રઝાકર કહ્યા નથી.
વિરોધ પ્રદર્શન દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનમાં શેખ હસીનાએ કહ્યું હતું કે, "જો સ્વતંત્રતા સેનાનીઓના પૌત્રોને અનામત નહીં મળે તો શું 'રઝાકારો'ના પૌત્રોને આ લાભ મળશે?"
બાંગ્લાદેશમાં રઝાકાર શબ્દને અયોગ્ય માનવામાં આવે છે. આ શબ્દ, 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન આર્મી દ્વારા ભરતી કરાયેલ અર્ધલશ્કરી દળને સંદર્ભિત કરવા માટે વપરાય છે, જેણે બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં
હિંસક વિરોધને વેગ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech