કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સોમવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. આ બેઠકમાં રાયબરેલીના નવા ચૂંટાયેલા સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા.
કોંગ્રેસે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ મીટિંગની માહિતી આપી હતી. જેમાં મુલાકાત દરમિયાન તેમણે બાંગ્લાદેશના પીએમને સોનિયા ગાંધીએ ગળે લગાવ્યા હતા. આ સાથે તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ગળે લગાવ્યા હતા.
શેખ હસીના શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ તેમણે રવિવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સહિત ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
શેખ હસીનાના ભારત અને ગાંધી પરિવાર સાથે ખૂબ જ નજીકના સંબંધો છે.
શેખ હસીનાના ભારત સાથે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ગાંધી પરિવાર સાથે ખૂબ જ નજીકના સંબંધો છે. એક સમય એવો હતો જ્યારે શેખ હસીના અને તેમના પરિવારના જીવનું જોખમ હતું. ત્યારે ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને ન માત્ર આશ્રય આપ્યો હતો પરંતુ તેમનો જીવ પણ બચાવ્યો હતો.
6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા
શેખ હસીના 6 વર્ષથી વધુ સમય દિલ્હીમાં રહ્યા હતા. આ ઘટના વર્ષ 1975 થી 1981ની છે. દિલ્હીમાં તે સમયે તેમનું સરનામું 56 રિંગ રોડ લાજપત નગર-3 હતું. જો કે બાદમાં તે દિલ્હીના પંડારા પાર્ક સ્થિત ઘરમાં શિફ્ટ થઈ ગઈ. જોકે હવે તે લાજપત નગરમાં જ્યાં રહેતી હતી ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.
1975માં બાંગ્લાદેશમાં થયો હતો બળવો
બાંગ્લાદેશમાં 1975ના બળવા દરમિયાન સેના દ્વારા હસીનાના પિતા શેખ મુજીબ ઉર રહેમાન અને તેમના પરિવારના અન્ય સભ્યોની હત્યા કરવામાં આવી ત્યારે શેખ હસીના 28 વર્ષની ઉંમરે ભારત આવી હતી. આ ઐતિહાસિક ઘટના વખતે શેખ હસીના પોતાના પતિ સાથે જર્મનીમાં હતી. 1975 માં તે રાત્રે, શેખ મુજીબ ઉર રહેમાન, જે બંગા બંધુ તરીકે જાણીતા હતા અને તેમના સમગ્ર પરિવારની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારતની તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે શેખ હસીના અને તેમની બહેન રેહાનાને દિલ્હીમાં આશ્રય આપ્યો અને તેઓ 6 વર્ષ સુધી અહીં રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech