તબીબી એડમીશનની છેલ્લી તારીખ સુધીમાં ક્રીમીલીયર સર્ટી નહીં મળતા ત‚ણીએ ઘર છોડી દીધુ!

  • May 20, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી કાગળોની કામગીરી અને ડોકયુમેન્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થાય છે અને સમયસર ડોકયુમેન્ટ મળતા નહી હોવાને લીધે તેમની કારકિર્દી ઉપર જ નહી પરંતુ જિંદગી ઉપર પણ પ્રશ્ર્નાર્થ સર્જાય છે ત્યારે ડોકટર બનવાની આશા સાથે ભાવનગર પંથકની એક યુવતીએ તમામ કાર્યવાહી કરી હતી પરંતુ ક્રિમીલીયર સર્ટીફિકેટ નીકળવામાં ત્રણ-ચાર દિવસ નીકળી જાય તેમ હોવાથી અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી પણ તેની વ્યવસ્થા નહી થઇ શકતા. આ કિશોરીએ ગુસ્સામાં આવીને ઘર છોડી દીધુ હતુ. તેથી ટ્રેનમાં બેસેલી આ કિશોરી પોરબંદર આવી પહોંચી હતી. જેનું કુશળ કાઉન્સેલીંગ કરીને ૧૮૧ની ટીમે પોરબંદરના સખી વનસ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો છે.
 પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસસ્ટેશનના પી.એસ.આઇ. દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ત‚ણીની સુરક્ષાને ધ્યાને લઈ ફોન કરી જણાવેલ કે એક ત‚ણી રેલ્વે સ્ટેશન પરથી મળી આવેલ છે જેથી ત‚ણીની મદદ માટે આવો.
અભયમ ટીમ ત‚ણીની મદદ માટે પહોંચી ત‚ણી ને આશ્ર્વાશન આપેલ તેમનુ નામ -સરનામું જાણતા તેઓ ભાવનગર જીલ્લાના રહેવાસી હોય તેવું જણાવેલ.ત‚ણી ગભરાયેલ હોવાથી તેમનો ડર દૂર કરી તેમનું કુશળ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવ્યું કે ‘હું સાયન્સમાં અભ્યાસ કરું છું મારે આગળ એડમિશન માટે ક્રિમીલીયર સર્ટીની જ‚ર હોય પરંતુ ક્રિમીલીયર સર્ટી નિકળવામાં ૩ થી ચાર દિવસ લાગે તેમ હોય ને મારે એડમિશનની કાલે છેલ્લી તારીખ હોય જેથી મને દુ:ખ થયુ કે મારે ડોક્ટર બનવાનું સપનું અધૂ‚ રહી જાશે મને હવે એડમિશન નહિ મળે.આગળ ત‚ણી એ જણાવેલ કે એડમિશન લેવા જવા માટે હું મારા માતા- પિતાને વારંવાર જણાવતી કે ‘તમો મારી સાથે આવો પરંતુ તેઓએે મને જણાવ્યુ કે થોડા દિવસ પછી જાશું.’ તેઓના કારણે મારે એડમિશનમાં મોડું થતા મને ગુસ્સો આવતા હું ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયેલ અને રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ ત્યાં પોરબંદરની ટ્રેન ઉપડતી હોય તેમાં હું બેસી ગયેલ મારે શું કરવું ? કયા જવું કયાં નહી એની કાંઈ ખબર જ ના રહી અને પોરબંદરની ટ્રેન પહેલા ઉપડવાની હોય જેથી એમાં બેસી ગયેલ ને અહિંયા પહોંચી ગયેલ.
૧૮૧ ટીમ દ્વારા ત‚ણીને સમજાવતી સાંત્વના આપી. તેમના માતા - પિતા ના નંબર વિશે પુછતા તેમને તેમના માતાના નંબર આપતા તેમની સાથે વાત કરતા તેમને જણાવેલ કે,‘મારી પુત્રીને આજે એડમિશનનું ના થયુ એટલા માટે તે બપોરના ૨:૦૦ની આસપાસ ઘરેથી નિકળી ગયેલ અમોને કહ્યા વગર જેથી અમો તેમને ઘરે ના જોતા અમને એવું થયુ કે તે તેમની ફ્રેન્ડના ઘરે ગઇ હશે એટલે આવી જશે.’ ત‚ણી ને તેમના માતા સાથે ફોન પર વાત કરાવેલ ત‚ણી સાંજ પડતા ઘરે ના પહોંચતા તેમના માતા -પિતા ચિંતિત થઇ ગયેલા હોવાથી ૧૮૧ ટીમ દ્વારા તેમના માતાને સમજાવેલ કે ‘તેમની પુત્રી અમારી ટીમ સાથે સુરક્ષિત છે’ જેથી તેમને જણાવેલ કે અમો ભાવનગર જિલ્લામાં રહીએ છીએ અમો તેમને લેવા માટે ના આવે ત્યાં સુધી તમારી પાસે જ રાખજો જેથી તેમના માતા ને જણાવેલ કે, ‘તમો ચિંતા ના કરો તમો તમારી પુત્રી ને લેવા માટે ના આવો ત્યાં સુધી અમો તેમને સુરક્ષિત જગ્યા પર જ રાખીશું.’ ત‚ણીની સુરક્ષા ને ધ્યાને લઈને ત‚ણીને તેના માતા- પિતા લેવા માટે ના આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવેલ.
રેલ્વે પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ૧૮૧ અભયમ ટીમ દ્વારા ઘરેથી નિકળી ગયેલ ત‚ણીની સહાયક બની ને તેમના ફેમિલી નો કોન્ટેક્ટ કરી ને હાલ આશ્રય માટે ઓ.એસ.સી.માં સુરક્ષિત આશ્રય અપાવેલ. આ કામગીરી ૧૮૧ સ્ટાફ- કાઉન્સેલર- મીરા માવદિયા અને કોન્સ્ટેબલ- સેજલબેન પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News